January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલીના સારવણીમાં રાત્રી દરમિયાન મકાન જમીદોસ્‍ત થતાં દંપતિ ઈજાગ્રસ્‍તઃ સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના સારવણી ગામે બીડ ફળીયામાં રહેતા સીતાબેન અને ચંદુભાઇ પતિ-પત્‍ની ધરમાં હતા. તે દરમ્‍યાન સોમવારના રોજ રાત્રેના નવેક વાગ્‍યાના અરસામાં અચાનક તેમનું મકાન જમીનદોસ્‍ત થતા તેઓ દબાઈ જતા આસપાસના લોકો દોડી આવી તેમનેબહાર કાઢયા હતા અને સ્‍થાનિક આગેવાન સુનિલભાઈ સહિતનાઓ દ્વારા બન્ને દંપતિ ને શરીરે ઇજા થતાં ચીખલીની રેફરલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
વરસતા વરસાદમાં અને રાત્રી દરમ્‍યાન અચાનક સવિતાબેનનું કાચું મકાન ધરાશયી થતા છતના નળીયા સહિતનાઓ ભુક્કો બોલી ગયો હતો અને ઘરવખરી, અનાજ, કઠોળ પણ પલળી જતા ચોમાસામાં છત ગુમાવવા સાથે પરિવારને મોટું આર્થિક નુકશાન થયું હતું. સ્‍થાનિક પંચાયત દ્વારા નુકશાની અંગેનો સર્વે કરી પંચકયાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
ચીખલી પંથકમાં બે દિવસથી વરસાદનું જોર ઘટયું છે. પરંતુ ઘનઘોર વાતાવરણ વચ્‍ચે છુટા છવાયો વરસાદ ચાલુ જ રહેતા વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારમાં વરસાદની માત્રા વધારે રહેવા પામી છે. વરસાદી માહોલ વચ્‍ચે વાતાવરણમાં પણ ઠંડક અનુભવાઇ રહી છે.

Related posts

વલસાડના છીપવાડમાં શ્રી કૃષ્‍ણ પ્રણામી જૂના મંદિર ખાતે 10મી માર્ચે આયુષ મેળો યોજાશે

vartmanpravah

દીવમાં લાંગરેલી બોટમાં ગત રાત્રીએ લાગેલી આગઃ બંને બોટ બળીને ખાખ: ડેપ્‍યુટી કલેક્‍ટર શિવમ મિશ્રાએ આગની ઘટના બાબતે વણાંકબારા ખાતે બોટ માલિકો સાથે યોજેલી સમીક્ષા બેઠક

vartmanpravah

સુરતના જ્‍યોતિષ પં. બાબુભાઈ શાષાીનો દાવોઃ ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 144 કરતા વધુ બેઠકો ઉપર વિજય મેળવશે

vartmanpravah

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

vartmanpravah

શાળા પ્રવેશોત્‍સવ અને ઉત્‍કૃષ્‍ટ શૈક્ષણિક પર્યાવરણની અસરથી સંઘપ્રદેશમાં હવે ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ વળી રહેલા વિદ્યાર્થીઓઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનમાં સુરતના જવેલર્સ પરિવારનું 2.07 લાખનું પાકીટ ચોરાયું

vartmanpravah

Leave a Comment