Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને તોડવા પહેલાં પ્રતિમાની સુરક્ષા માટે બનાવાયેલ ‘ઈન્‍દિરા સ્‍મૃતિ મેનેજીંગ કમિટી’ને પ્રશાસને શા માટે જાણ નહીં કરી? અને તોડી તો કયા કારણોથી તોડી?: દાનહ કોંગ્રેસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08 : દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઇન્‍દિરા ગાંધીની પ્રતિમાને તોડી નાંખતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાનહ જિલ્લા પ્રશાસનના અધિકારીઓ પોતાની મનમાની ચલાવી સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ અને દેશના પ્રથમ નાગરિક એવા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝૈલસિંહ દ્વારા જેનું અનાવરણ કરવામાં આવેલ એવા દેશના પ્રથમ મહિલાપ્રધાનમંત્રી સ્‍વ. શ્રીમતી ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને તોડી દીધી છે. મહામહિમ રાષ્‍ટ્રપતિ અને પ્રધાનમંત્રી આ બન્ને પદ દેશના સર્વોચ્‍ચ અને ગૌરવશાળી છે, છતાં પણ આ બંનેના નામ સાથે જોડાયેલ પ્રતિમાને તોડી મહાન હસ્‍તીઓનું દાનહ પ્રશાસને અપમાન કર્યું છે જેનો કોંગ્રેસે વિરોધ નોંધાવ્‍યો છે. સ્‍વ. વડાપ્રધાન ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને તોડી નાંખવાના વિરોધમાં કોંગ્રેસે દાનહ કલેક્‍ટરશ્રીને રજૂઆત કરી છે.
પ્રતિમાને તોડી નાંખવા બાબતે દાનહ કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું છે કે, દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની સ્‍થાપવામાં આવેલ પ્રતિમાની સુરક્ષા માટે ‘ઈન્‍દિરા સ્‍મૃતિ મેનેજીંગ કમિટી’ બનાવવામાં આવેલ હતી અને તેથી દાનહ કોંગ્રેસ કમિટી એ જાણવા માંગે છે કે, દેશનું ગૌરવસમા પ્રથમ મહિલા પ્રધાનમંત્રીની પ્રતિમાને તોડવા પહેલાં સુરક્ષા કમિટીને જાણ શા માટે નહીં કરવામાં આવી? અને તોડી તો કયા કારણોથી તોડી? એવા સવાલો પણ કર્યા છે.
વુધમાં દાનહ કોંગ્રેસે પૂછ્‍યું છે કે, શું તોડવામાં આવેલી પ્રતિમાની જગ્‍યાએ ફરી નવી પ્રતિમા સ્‍થાપિત કરવામાં આવશે કે નહી? દાનહ કોંગ્રેસે જણાવ્‍યું છે કે, જનતાને વિશ્વાસમાં લીધા વગર એવા કામો થતાં રહેશે તો પ્રશાસન અને જનતા વચ્‍ચે સંઘર્ષ વધી શકે છે અને પ્રશાસનનામનસ્‍વી કારભારો વિરૂદ્ધ કોંગ્રેસ અને જનતાને રોડ ઉપર ઉતરવા મજબૂર કરી શકે છે.

Related posts

દાનહ અને દમણ-દીવનું ગૌરવ જૈનિકસોલંકીનું સૌરાષ્‍ટ્રની અંડર-25ની જુનિયર રણજી ટીમમાં (ફર્સ્‍ટ ક્‍લાસ ક્રિકેટ) માં પસંદગી

vartmanpravah

દાનહ પીપરીયામાં નિર્માણાધીન ફલાય ઓવરબ્રીજ માટે કલેકટર દ્વારા ભારી વાહનોના અવર-જવર માટે ડાયવર્ઝન અંગે જારી કરાયેલો આદેશ

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર ટેબલ-ખુરશી-મંડપ વગેરે વ્‍યવસ્‍થા કરી શકાશે નહીં

vartmanpravah

વલસાડ જિલ્લા વકીલો દ્વારા નોટરી એમેન્ડમેન્ટ બિલના વિરોધમાં રેલી યોજી કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

વાપી તાલુકા કક્ષાનો યુવા ઉત્‍સવ શ્રી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સલવાવ ખાતે યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ મહિલાઓ સામેના ગુનાઓ ઉકેલવામાં સમગ્ર ભારતના કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ

vartmanpravah

Leave a Comment