(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. ૦૭ઃ દાનહમાં નવા ૦૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં ૩૦ સક્રિય કેસ છે. અત્યાર સુધીમા ૫૮૨૧ કેસ રીકવર થઈ ચુક્યા છે, ત્રણ વ્યક્તિનું મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના ૨૨૬ નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી ૦૧ વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ ઍન્ટિજન ૧૩૯૦ નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી ૦ રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ ૦૧ રિપોર્ટ પાઝિટિવ આવ્યા છે. ૦૨ દર્દી રીકવર થતા રજા આપવામા આવી પ્રદેશમાં ૦૧ કન્ટાઈન્ટમેન્ટ ઝોન નક્કી કરાયા છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી-સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટર સહિત વિવિધ સોસાયટીમા કોવીશીલ્ડ વેક્સીનનું ટીકાકરણ કરવામા આવ્યુ હતુ. જેમા આજે ૬૨૧૧ લોકોને વેક્સીન આપવામા આવ્યા છે પ્રદેશમાં કુલ ૨૫૬૦૫૩ લોકોને વેક્સીન આપવામા આવી છે.
દાદરા નગર હવેલી આરોગ્ય વિભાગ દ્વારા ગામડે ગામડે અને શેરીઓમા જઈ નુક્કડ નાટક દ્વારા વેક્સીન લેવા માટે લોકોને જાગૃત કરવામા આવી રહ્ના છે અને સાથે ત્યા સ્થળ પર જ જે લોકો વેક્સીન લેવાના બાકી હોય તેઓને વેક્સીન પણ લગાવવામા આવી રહી છે.
Previous post