2009ની લોકસભા ચૂંટણી દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.એમ.સૈયદના જમાઈ પદનાથ સાલેહ ઉપર તલવાર, ચોપર, લોખંડના સળિયા, રાફટર, લાકડા વગેરેથી હૂમલો કરી જાન લેવાની કરાયેલી કોશિષના ગુનામાં સંભળાવેલો ચુકાદો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.11 : લક્ષદ્વીપની જિલ્લા અને સેશન અદાલતે આજે હત્યાના પ્રયાસના ગુનામાં લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલ સહિત ચાર આરોપીઓને 10 વર્ષની કેદ અને ચારેય દોષીઓ ઉપર એક એક લાખ રૂપિયાના દંડની સજા સંભળાવતાં સમગ્ર પ્રદેશમાં ચકચાર ફેલાઈ જવા પામી છે અને ચારેય આરોપીઓને કેરલની કન્નુર સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન સાંસદ મોહમ્મદ ફૈઝલ અને અન્ય (1)સૈયદ મોહમ્મદ નૂરૂલ અમીન (2)મોહમ્મદ હુસેન થંગાલ અને (3)મોહમ્મદ બસિલ થંગાલ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.એમ.સૈયદના જમાઈ પદનાથ સાલેહ ઉપર ચૂંટણી દરમિયાન ઘાતકી હથિયારો જેવા કે તલવાર, ચોપર, લોખંડના સળિયા, રાફટર,લાકડા વગેરેથી હૂમલો કરવા પહેલાં તેઓએ ઘરનો દરવાનો તોડી ગેરકાયદે રીતે અંદર પ્રવેશ્યા હતા. હૂમલામાં ગંભીર રીતે ઘવાયેલા પદનાથ સાલેહને એરલિફટ કરી એર્નાકુલમ કેરલ ખાતે વિશેષ સારવાર માટે લઈ જવાયા હતા. આ કેસમાં અન્દ્રોથ પોલીસ સ્ટેશને તા.17.01.2009ના રોજ આઈ.પી.સી.ની 143, 147, 342, 324, 307, 448, 427, 506 રેડ વિથ 149 કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ કરી 2016માં નામદાર અદાલત સમક્ષ ચાર્જશીટ રાખવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે સાંસદ મોહમ્મદ ફૈઝલે આ કેસને રાજનીતિથી પ્રેરિત ગણાવી જિલ્લા અને સેશન કોર્ટના ચુકાદાને નામદાર હાઈકોર્ટમાં પડકારવાના હોવાનું પી.ટી.આઈ. ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે.