July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સામરવરણી ગ્રામ પંયાયતે ગંદકી ફેલાવનારાઓ વિરૂદ્ધ કરેલી કાર્યવાહીઃ પંચાચત સેક્રેટરીએ બે ચાલીઓના 18 રૂમોનું વિજ જોડાણ કાપતા ફફડાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08: સામરવરણી ગ્રામ પંચાયતે ગંદકી ફેલાવનારાઓને ચારથી પાંચ વખત નોટિસો ફટકાર્યા બાદ પણ કેટલીક ચાલીઓમાં સાફસફાઈ નહીં રાખવાથી સામરવરણી પંચાયતના સેક્રેટરી શ્રીમતી નિર્મલાબેન દ્વારા આજે પંચાયત સ્‍ટાફ સાથે આંબાપાડામાં શૌકત અલીની ચાલ અને નવાપાડામાં સતીશ યાદવની ચાલમાં પહોંચી બન્ને ચાલીઓમાં ચારેય બાજુ કચરાના ઢગલાં જોઈને ચાલ માલિક શૌકત અલીને ફોન કર્યો, પણ શૌકત અલીએ ફોન ઉપાડયો ન હતો. ત્‍યારબાદ પંચાયત સેક્રેટરીએ સતીશ યાદવને ફોન કરીને ચાલમાં સ્‍વચ્‍છતા રાખવા જણાવ્‍યું હતું. આ બાબતે ચાલ માલિક સતીશ યાદવે સંતોષકારક જવાબ અને સહયોગ આપવાના બદલે પંચાયત સેક્રેટરી શ્રીમતી નિર્મલાબેનને ઉલ્‍ટો જવાબ આપતા જણાવ્‍યું હતું કે, તમારા પાસે વીજજોડાણ કાપવાનો અધિકાર નથી. ત્‍યારબાદ પંચાયત સેક્રેટરી શ્રીમતી નિર્મલાબેને વિજળી સપ્‍લાઈ કરતી કંપની ટોરેન્‍ટ પાવરના કર્મચારીઓને બોલાવીને શૌકત અલી અને સતીશ યાદવની ચાલીઓના કુલ 18 રૂમોના વીજ જોડાણો કાપી નંખાવ્‍યા હતા.
વીજ જોડાણ કાપવા બાદ ગ્રામ પંચાયત સેક્રેટરી શ્રીમતી નિર્મલાબેને જણાવ્‍યું હતું કે, સામરવરણી ગ્રામ પંચાયતે સૉલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ ઉપ રૂલ્‍સ-2022 અંતર્ગત ઉપરોક્‍ત બન્ને ચાલીઓની 18 રૂમોના વીજ જોડાણ કાપવામાં આવ્‍યા છે. બંને ચાલીઓમાં જ્‍યાં સુધી નિયમિત સાફસફાઈ રાખવાની બાહેંધરી આપવામાં નહીં આવે અને પંચાયતને પેનલ્‍ટી ચૂકવવામાં નહીં આવે ત્‍યાર સુધી બંને ચાલીઓમાં પાછું વીજ જોડાણ જોડવામાં આવશે નહીં.
પંચાયત સેક્રેટરી શ્રીમતી નિર્મલાબેને વધુમાં જણાવ્‍યું હતું કે, ‘અમે સ્‍વચ્‍છતા સાથે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. તેથી લોકો પોતાના ઘરો, દુકાનો, લારીઓ, ફેક્‍ટરીઓ, ઓફિસોમાં તથા આજુબાજુ સાફ-સફાઈ રાખવી પડશે. લોકોના જાહેર આરોગ્‍ય સાથે સ્‍વચ્‍છતા સંબંધી કોઈપણ પ્રકારની લાપરવાહી બર્દાશ્‍ત કરવામાં આવશે નહીં. અમે ગંદકી ફેલાવનાર અન્‍ય ચાલો, હાઉસિંગ સોસાયટીઓ, કંપનીઓ, ભંગારના ગોડાઉનો તથા વિવિધ એકમો ઉપર ધ્‍યાન આપી રહ્યા છે. જ્‍યાં પણ સ્‍વચ્‍છતાના નિયમોનું ઉલ્લંઘન થતું દેખાશે ત્‍યાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.’

Related posts

વાપીનું ગૌરવ: આરજીયુએચએસ – કર્ણાટક યુનિવર્સિટીમાં ડૉ.અદિતિ ગાંધીએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

દેશના રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુના વિજયને ચીખલીમાં પરંપરાગત આદિવાસી નૃત્‍ય સાથે મંત્રી નરેશભાઈ પટેલની

vartmanpravah

આજે દમણમાં નારિયેળી પૂર્ણિમા મહોત્‍સવને આનંદ-ઉલ્લાસથી ઉજવાશે

vartmanpravah

દાનહમાં ગેરકાયદેસર માટી ખનન કરનારા તત્ત્વો સામે સેલવાસ મામલતદારની ટીમે કરેલી કાયદાકીય કાર્યવાહી

vartmanpravah

ગણદેવીના દેસાડ અને જલારામ મંદિર પાસે રાજ્‍ય ધોરી માર્ગ ઉપર તંત્રએ સ્‍પીડ બ્રેકર મુક્‍યા પરંતુ ચેતવણી દર્શક બોર્ડ મુકવાનું ભુલી ગયા?

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અમૃત કળશ યાત્રા લઈ પારડી ખાતે પધાર્યા

vartmanpravah

Leave a Comment