February 10, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

માછી સમાજની છેવાડેની બોરાજીવા શેરી ખાતે દમણમાં મિલકતના વિવાદમાં મોટા ભાઈએ નાના ભાઈને કોયતાના ઘા મારી રહેંસી નાંખી કરેલી હત્‍યા

દમણ ન.પા.ના પૂર્વ કાઉન્‍સિલર અશોક કાશીએ પોતાના સગા નાના ભાઈ વીક્કી ટંડેલની કરેલી હત્‍યાથી સમગ્ર માછી સમાજ સ્‍તબ્‍ધઃ દમણના 500 કરતા વધુ વર્ષના ઈતિહાસમાં સંભવતઃ પહેલી વખત બનેલી શરમજનક ઘટના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : નાની દમણની માછી સમાજની છેવાડેની બોરાજીવા શેરી ખાતે મિલકતના ઝઘડામાં પોતાના સગા મોટા ભાઈએ નાના ભાઈને કોયતાના ઘા મારી રહેંસી નાંખવાની ઘટના બનતાં શાંતિપ્રિય માછી સમાજ સ્‍તબ્‍ધ બની ગયો છે. મૃતક વીક્કી ટંડેલે પોતાના ટેકેદાર યુવાનો સાથે લોકસભાની ચૂંટણી દરમિયાન જ ભાજપની કંઠી બાંધી હતી અને ખુબ જ ખંતથી ભાજપનું કામ પણ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ માછી સમાજના 500 કરતા વધુ વર્ષના ઇતિહાસમાં નહીં બની હોય એવી ઘટના ગઈકાલ તા.09મી મેની મધ્‍યરાત્રિના 11:00 થી 12:00 વાગ્‍યાના સુમારે દમણ નગરપાલિકાના પૂર્વ કાઉન્‍સિલર અશોક હરિભાઈ ટંડેલ ઉર્ફે અશોક કાશીએ પોતાના સગા નાના ભાઈ વીક્કી ટંડેલને ગરદનના પાછળના ભાગે કોયતાથી ઘા કરી રહેંસી નાંખતા ઘટના સ્‍થળે જ મોત થયું હોવાનું જાણવા મળે છે.પોલીસ રિપોર્ટ પ્રમાણે તા.10મી મેના રાત્રિના 12:05 વાગ્‍યે માહિતી મળી હતી બોરાજીવા શેરી નાની દમણ ખાતે રહેતા વીક્કી હરિ ટંડેલ (ઉ.વ.38)ને સરકારી મોટી દમણ હોસ્‍પિટલ ખાતે ધારદાર હથિયારથી પ્રાણઘાતક ઈજાઓ સાથે લાવવામાં આવ્‍યા છે અને ફરજ ઉપરના ડોક્‍ટરોએ મૃત જાહેર કર્યો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દમણ પોલીસે સીસીટીવી સહિત પોતાની તેજ કરેલી તપાસમાં હત્‍યારા તરીકે પોતાના મોટાભાઈ અશોક હરિ ટંડેલ ઉર્ફે અશોક કાશીની ઓળખ થતાં તેની ધરપકડ કરી આજે અદાલતમાં રજૂ કરતા સોમવાર સુધી પોલીસ કસ્‍ટડી આપવામાં આવી છે.
દમણ પોલીસ સમગ્ર ઘટનાની આઈ.પી.સી.ની કલમ 302 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે.

Related posts

દાનહ જિલ્લા પ્રશાસને પાંચ મહિના બાદ રખોલી બ્રિજ ઉપરથી તમામ પ્રકારના વાહનોને પસાર થવા માટે આપેલી મંજૂરી : 12મી જૂન, 2024ના રોજ મોટું ગાબડું પડયું હતું

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે દૂધની અને કૌંચા પંચાયતથી લોકોની વચ્‍ચે જઈ આભાર માનવાની કરેલી શરૂઆત

vartmanpravah

દાદરા પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

નવસારી જિલ્લામાં લોકઅદાલતો યોજાઈઃ 15738 કેસોનો નિકાલ કરાયો

vartmanpravah

Leave a Comment