July 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારસી ધર્મસ્‍થાનોના વિકાસ માટે અલ્‍પસંખ્‍યક વિકાસ મંત્રાલયના સચિવ મુખમિત ભાટિયાએ સંજાણ અને ઉદવાડાની લીધેલી મુલાકાત

કીર્તિસ્‍તંભને પારસીઓના આગમન ચિન્‍હ વહાણનું સ્‍ટ્રક્‍ચર, નવી દિવાલ અને ગાર્ડન બનાવી સુશોભિત કરવા સચિવએ કરેલું સૂચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે આવેલા પારસી ધર્મસ્‍થાન કીર્તિસ્‍તંભ તેમજ ઉદવાડા વિસ્‍તારના વિકાસ માટે કેન્‍દ્ર સરકારના અલ્‍પસંખ્‍યક વિકાસ મંત્રાલયના સચિવશ્રી મુખમિત ભાટિયાએ સંજાણ અને ઉદવાડાની તા. 3 માર્ચના રોજ મુલાકાત લીધી હતી. સચિવશ્રીએ સૌપ્રથમ પારડી તાલુકાના ઉદવાડા ખાતે પારસીઓના વડા દસ્‍તુરજી ખુરશેદ દસ્‍તુરજી (કેન્‍દ્રીય રાષ્‍ટ્રીય લઘુમતી કમિશનના માજી સભ્‍ય)ની શુભેચ્‍છા મુલાકાત કરી પારસીઓની પવિત્ર અગિયારી ‘આતશ બહેરામ’ની મુલાકાત કરી હતી.

સચિવશ્રી મુખમિત ભાટિયાએ આ સ્‍થળોની મુલાકાત લઈ આગેવાનોના આ વિસ્‍તારોના વિકાસ અંગેના મંતવ્‍યો મેળવ્‍યા હતા. વિકાસ અંગે રજૂ કરાયેલા મંતવ્‍યોને સાંભળી જરૂરી સૂચનો કરી જિલ્લાવહીવટીતંત્રને આ રજૂઆતોના આધારે જરૂરી જણાતા કામોનું આયોજન કરવા જણાવ્‍યું હતું. કીર્તિસ્‍તંભ ખાતે પારસીઓના આગમન ચિન્‍હ વહાણનું સ્‍ટ્રક્‍ચર બનાવવા, નવી દિવાલ બનાવવા અંગે, ગાર્ડન બનાવી સુશોભિત કરવા અંગે પણ સૂચનો કર્યા હતા.
સંજાણ ખાતે કીર્તિસ્‍તંભ અને તેની આસપાસના વિસ્‍તારના વિકાસ માટે સ્‍થળ મુલાકાત કરી વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની અને વડા દસ્‍તુરજીની ઉપસ્‍થિતિમાં બેઠક કરી હતી. જેમાં કીર્તિસ્‍તંભ અને આસપાસના વિસ્‍તારના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વલસાડ અને પારડી પ્રાંત અધિકારીઓ નિલેશ કુકડિયા અને ડી.જે.વસાવા પણ ઉપસ્‍થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્‍યું હતું. સાથેસાથે સચિવશ્રીએ સંજાણ ખાતે અગિયારીની પણ મુલાકાત લીધી હતી.
સચિવશ્રીએ પારસીઓના ઈતિહાસને ઉજાગર કરતા ઉદવાડા ખાતે આવેલા ઝોરાષ્‍ટ્રીયન ઈન્‍ફોર્મશન સેન્‍ટર(પારસી મ્‍યુઝિયમ)ની અને દરિયા કિનારાના વિકાસ માટે મુલાકાત કરી હતી. તેમજ પારસી મ્‍યુઝિયમની વિઝિટર બુકમાં પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. તેમજ ઉદવાડા રેલવે સ્‍ટેશનની મુલાકાત કરી પાર્કિંગ તેમજ જરૂરી વ્‍યવસ્‍થાઓનું નિરીક્ષણ કર્યું હતું.

Related posts

વાપી ચણોદ કોલોની ચાર રસ્‍તા ઉપર કંપનીમાંથી સાયકલ ઉપર આવીલ રહેલ કામદારનું કારે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

પોલિયો રવિવાર, આરોગ્‍ય મંત્રાલયના આ અભિયાનમાં દમણ ખાતે ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના પ્રમુખ વિશાલભાઈ ટંડેલે બાળકોને પોલિયોના બે ડોઝ પિવડાવી નેશનલ પોલિયો રસીકરણ અભિયાનની કરાવેલી શરૂઆત

vartmanpravah

ચીખલી તાલુકામાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર: સમરોલીની શ્રી સ્વામીનારાયણ સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ જાહેર થતાં શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી

vartmanpravah

વલસાડના કોસમકુવામાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા યોજાઈ

vartmanpravah

વાપી ત્રિરત્‍ન સર્કલને ટેન્‍કરે ટક્કર મારી મહાનુભાવોના સ્‍ટ્રક્‍ચરને જમીનદોસ્‍ત કરતા હંગામો

vartmanpravah

ઉમરગામ તાલુકાની વિધાનસભા બેઠક ભાજપા માટે સુરક્ષિત: વયમર્યાદાએ પહોંચેલા રમણભાઈ સહિત ઘણા ઉમેદવારો ચૂંટણી લડવા બનાવી રહેલા મન

vartmanpravah

Leave a Comment