September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ ખાતે એક્‍સપો 2023 નું કરવામાં આવેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન અને બી.એન.આઈ. ચેપ્‍ટરના સંયુક્‍ત ઉપક્રમે હોટલ લેન્‍ડમાર્કમાં એક્‍સપો 2023નું આયોજન કરવામાં આવ્‍યું હતું. કંપનીઓની પ્રોડક્‍ટ વિશે માહિતગાર કરી ઉદ્યોગોનો વિકાસ અને ઈન્‍ડસ્‍ટ્રીઝ એરિયાને દેશના ઉદ્યોગ જગતમાં નવી ઓળખઆપવાના ઉદેશથી એક્‍સપો 2023 નું આયોજન કરવામાં આવ્‍યું હતું. ઉમરગામ ઔદ્યોગિક વસાહતની સ્‍થાપના બાદ પ્રથમ વખત કરવામાં આવી રહેલું આયોજન સફળ રહેતા આયોજકોનો હોસલો બુલંદ બની જવા પામ્‍યો છે. આ કાર્યક્રમમાં બી.એન.આઈ. ચેપ્‍ટરના 26 જેટલા સભ્‍યોએ અને બાકીના યુઆઈએના સભ્‍યોએ સ્‍ટોલ લગાવી પ્રોડક્‍ટ વિશે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમનું ઉદ્ધાટન ઉમરગામના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઈ બારીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે યુઆઈએના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, માજી પ્રમુખ શ્રી ભગવાનભાઈ ભરવાડ, તેમજ ઉમરગામ જીઆઈડીસીમાં વિશાળ એકમ ધરાવતા ડોમ્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ અને ચંદન સ્‍ટીલના પ્રતિનિધિઓ અને યુઆઈએની સમગ્ર ટીમની ઉપસ્‍થિતિ જોવા મળી હતી. આજના આયોજિત એક્‍સપોની સફળતા અને ઉદ્યોગપતિઓમાં જોવા મળેલો ઉત્‍સાહ બાદ યુઆઈએના પ્રેસિડેન્‍ટ શ્રી જીગ્નેશભાઈ બારીએ આવતા વર્ષે મોટાપાયે આયોજન કરવાની ઈચ્‍છા બતાવી હતી.

Related posts

ધરમપુર ખાડા ગામે ખેતરમાંથી પાણીનું એન્‍જિન ચોરી જનાર ત્રણ ઝડપાયા

vartmanpravah

પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ બનતા શ્‍યામ વિષ્‍ણુ હળપતિઃ ભાજપનો જનાધાર ઔર વધુ મજબૂત બનવાની ધારણાં

vartmanpravah

શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વાપી જલારામ મંદિરે મહાપ્રસાદનું કરાયેલું આયોજન

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બદલી કરાતા સંઘપ્રદેશથી બદલી થયેલા ચાર અધિકારીઓના સન્‍માનમાં યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં લાગેલી ભીષણ આગ કેસમાં 13 ભંગારીયા વિરુધ્‍ધ ફરિયાદ અને ધરપકડ

vartmanpravah

વાપી નગરમાં અદ્વિતિય આત્‍મોત્‍થાન ગુરુહેમ સ્‍મૃતિ મંગલ ચાતુર્માસ પ્રવેશોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment