March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ ખાતે એક્‍સપો 2023 નું કરવામાં આવેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન અને બી.એન.આઈ. ચેપ્‍ટરના સંયુક્‍ત ઉપક્રમે હોટલ લેન્‍ડમાર્કમાં એક્‍સપો 2023નું આયોજન કરવામાં આવ્‍યું હતું. કંપનીઓની પ્રોડક્‍ટ વિશે માહિતગાર કરી ઉદ્યોગોનો વિકાસ અને ઈન્‍ડસ્‍ટ્રીઝ એરિયાને દેશના ઉદ્યોગ જગતમાં નવી ઓળખઆપવાના ઉદેશથી એક્‍સપો 2023 નું આયોજન કરવામાં આવ્‍યું હતું. ઉમરગામ ઔદ્યોગિક વસાહતની સ્‍થાપના બાદ પ્રથમ વખત કરવામાં આવી રહેલું આયોજન સફળ રહેતા આયોજકોનો હોસલો બુલંદ બની જવા પામ્‍યો છે. આ કાર્યક્રમમાં બી.એન.આઈ. ચેપ્‍ટરના 26 જેટલા સભ્‍યોએ અને બાકીના યુઆઈએના સભ્‍યોએ સ્‍ટોલ લગાવી પ્રોડક્‍ટ વિશે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમનું ઉદ્ધાટન ઉમરગામના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઈ બારીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે યુઆઈએના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, માજી પ્રમુખ શ્રી ભગવાનભાઈ ભરવાડ, તેમજ ઉમરગામ જીઆઈડીસીમાં વિશાળ એકમ ધરાવતા ડોમ્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ અને ચંદન સ્‍ટીલના પ્રતિનિધિઓ અને યુઆઈએની સમગ્ર ટીમની ઉપસ્‍થિતિ જોવા મળી હતી. આજના આયોજિત એક્‍સપોની સફળતા અને ઉદ્યોગપતિઓમાં જોવા મળેલો ઉત્‍સાહ બાદ યુઆઈએના પ્રેસિડેન્‍ટ શ્રી જીગ્નેશભાઈ બારીએ આવતા વર્ષે મોટાપાયે આયોજન કરવાની ઈચ્‍છા બતાવી હતી.

Related posts

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિમાં ભગવાન શિવના જયઘોષ સાથે શિવની કથાને વિરામ અપાયો

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને સાયબર ક્રાઈમ અંગે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘આરોગ્‍ય, સંપત્તિ અને સુખ” ના વિષય ઉપર યોગ સંવાદ યોજાયો

vartmanpravah

વલસાડમાં નિર્વષા થઈ બાઈક ઉપર નિકળેલા યુવાનનો વિડીયો વાયરલ થતા ચકચાર

vartmanpravah

સેલવાસ કલાકેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રીય પંચાયત પુરસ્‍કાર અંતર્ગત જિલ્લા સ્‍તરીય પુરસ્‍કાર સમારંભનું કરાયેલું આયોજન

vartmanpravah

દીવમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે આજે ફરી આગ લાગી

vartmanpravah

Leave a Comment