July 17, 2026
Vartman Pravah
Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં મિક્ષ ઋતુ વચ્‍ચે સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલમાં શરદી, ખાંસી,તાવના દર્દીઓની સંખ્‍યા વધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકામાં મિક્ષ ઋતુ વચ્‍ચે સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલમાં શરદી, ખાંસી, તાવના દર્દીઓની સંખ્‍યા વધી જવા પામી છે. છેલ્લા 13-દિવસમાં 2495 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
હાલે દિવસ દરમ્‍યાન વાદળછાયા વાતાવરણ વચ્‍ચે ગરમી અને ઉકળાટ જ્‍યારે રાત્રે તાપમાનનો પારો નીચે જતા ઠંડી અનુભવાતી હોય છે. આમ ઉનાળા શિયાળાની મિક્ષ ઋતુ વચ્‍ચે રોગચાળામાં પણ વધારો થવા પામ્‍યો છે. ખાસ કરીને શરદી, ખાંસી અને તાવના દર્દીઓની સંખ્‍યા દિવસે-દિવસે વધી રહી છે. તાલુકાભરના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં પણ ઓપીડીમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ચીખલી, ખેરગામ, વાંસદા, મહુવા, ગણદેવી સહિતના તાલુકાઓના ગરીબ વર્ગના લોકો માટે ખૂબ મહત્‍વની એવી ચીખલીની સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલમાં પણ દર્દીઓની સંખ્‍યા વિશેષ જોવા મળી રહી છે. આ હોસ્‍પિટલ હાલે દર્દીઓ અને તેમના સગા સબંધીઓથી ધમધમતી રહે છે. ફેબ્રુઆરીમાં આ હોસ્‍પિટલમાં 6420 જેટલા દર્દીઓની સારવાર આપવામાં આવી હતી. જ્‍યારે હાલે 1 થી 13 માર્ચ દરમ્‍યાન 13 દિવસમાં 2495 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
હોસ્‍પિટલના આરએમઓ ડો.માલતીબેનના જણાવ્‍યાનુસાર હાલે માથાનોદુઃખાવો, શરદી, ખાંસીના દર્દીઓની સંખ્‍યા વધી છે. આ ઉપરાંત છેલ્લા દસેક દિવસમાં આંખની તકલીફ હોય તેવા દર્દીઓની સંખ્‍યામાં પણ વધારો થયો છે. 13-મી ના રોજ 385 જેટલા દર્દીઓને એક જ દિવસમાં સારવાર આપવામાં આવી છે.
—-

Related posts

ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર ટેબલ-ખુરશી-મંડપ વગેરે વ્‍યવસ્‍થા કરી શકાશે નહીં

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્‍યોના પ્રભારીઓની કરેલી નિયુક્‍તિ – સંઘપ્રદેશના નવા ભાજપ પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની નિયુક્‍તિ

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠક ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, ત્રણ અન્‍ય પાર્ટી અને બેઅપક્ષ મળી સાત વચ્‍ચે જંગ

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી

vartmanpravah

કમોસમી વરસાદથી નુકશાન વળતર આપવામાં વલસાડ જિલ્લો બાકાત રખાતા ખેડૂતોમાં રોષ

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment