October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

વાસોણાની દુકાનમાં લુંટનો પ્રયાસ કરનાર આરોપીની પોલીસે હાથ ધરેલી વધુ તપાસ: આરોપીએ દુકાનદારને એરગન દ્વારા ગભરાવવાનો કર્યો હતો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25: દાદરા નગર હવેલીના વાસોણા ગામે બુધવારની મોડી રાત્રે દુકાનદાર દુકાન બંધ કરી રહ્યો હતો તે સમયે એક અજાણ્‍યો યુવાન દુકાનમા ઘુસી લુંટનો પ્રયાસ કર્યો હતો અને ફરિયાદીને લાકડી અને હુહાડી વડે મારવાનો પ્રયાસ કર્યો હતો અને દુકાનદારને ગન બતાવી ગભરાવવાનો પણ પ્રયાસ કર્યો જેમાં દુકાનદારનેગંભીર ઈજાઓ પણ થઈ હતી. આ ઘટનાના આરોપીને પોલીસે ઝડપી પાડી એની પાસેથી એયરગન પણ કબ્‍જે લીધી હતી. ફરિયાદી જયંતીભાઈ બાબુલાલ કટારમલ જેઓની વાસોણા ગામે હરિઓમ ટેલિકોમ નામની દુકાનમાં અજાણ્‍યા ઈસમે ઘુસી ફરિયાદીને લાકડીસ અને ત્રિકમ વડે માર માર્યો હતો અને ગન બતાવી ગભરાવવાનો પ્રયાસ કરી પૈસા ભરેલી બેગ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે સેલવાસ પોલીસે આઇપીસીની ધારા 394 આર/ડબ્‍લ્‍યુ ધારા 3, 25 આર્મ્‍સ એક્‍ટ 1959 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઘટનાની પી.આઈ. શ્રી સબાસ્‍ટીયન દેવાસ્‍યા અને પી.એસ.આઈ. શ્રી નિલેશ કાટેકર તથા તેમની ટીમે ઘટના સ્‍થળની તપાસ કરી ત્‍યાંથી આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલ લાકડી અને ત્રિકમ કબ્‍જે લીધી હતી. ફરિયાદી અને સાક્ષીઓ દ્વારા આપવામાં આવેલ વિગત અનુસાર સંદિગ્‍ધ વ્‍યક્‍તિ સુરજ છોટુ વરઠા (ઉ.વ.22) રહેવાસી ઉમરકૂઈ, ડુંગરપાડા જેને શોધી કાઢવામાં આવ્‍યો હતો અને એની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ પોતાનો ગુનો પણ કબુલ પણ કરી લીધો હતો. ફરિયાદી પાસેની ગનને પણ કબ્‍જે લઈ તપાસ કરતા એ એરગન હતી. આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ વર્ષ 2021માં નોંધાયેલ આઇપીસીની કલમ 395 મુજબ ધરપકડ કરી હતી.

Related posts

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

તા.૭ મી ના રોજ યોજનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા અન્વયે નવસારી જિલ્લામાંથી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વીડિયો કોન્‍ફરન્‍સથી ‘ભારતીય જન ઔષધી કેન્‍દ્ર’નો પ્રારંભ કરાવ્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

રખોલી પîચાયતે પાન-ગુટખાના લારી-ગલ્લાઓ ઉપર રેડ પાડી ૩૦ કિલો તîબાકુનો જથ્થો જપ્ત કર્યો

vartmanpravah

જમીન દલાલો અને ભૂ-માફિયાઓ દ્વારા દાદરા નગર હવેલીના ગરીબ આદિવાસીઓના લેન્‍ડલેસ પ્‍લોટો પડાવી લેવા રચવામાં આવેલ કૌભાંડની તટસ્‍થ તપાસની ઉઠેલી ઉગ્ર માંગ

vartmanpravah

Leave a Comment