Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ડેપોએ વડનગર-વલસાડ ટ્રેનની બસ કનેક્‍ટિવિટી સેવાની સુવિધા વધારી: ગુજરાત ક્‍વીન બસ સેવા યથાવત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ સ્‍ટેશનથી વલસાડ-વડનગર ટ્રેન સુવિધા કાર્યરત છે. આ ટ્રેન માટે મુસાફરોની સગવડ સુવિધા માટે બસ કનેક્‍ટિવિટી વધારાની સેવા ચાલુ કરી છે.
વડનગર-વલસાડ ટ્રેન પકડવા માટે તેમજ ઉતર્યા બાદ ગંતવ્‍ય સ્‍થાને જવા માટે વલસાડ-કપરાડા અને વલસાડ-સેલવાસ બસ સુવિધાનો વલસાડ ડેપોથી આરંભ કરવામાં આવ્‍યો છે તેથી કપરાડા તરફના તેમજ વાપી સેલવાસ તરફથી વડનગર-વલસાડ ટ્રેન માટે આવતા જતા મુસાફરોને હવે પર્યાપ્ત બસ કનેક્‍ટિવિટી મળી રહેશે તેમજ ઉલ્લેખનીય છે કે, ગુજરાત ક્‍વીન ટ્રેન માટેની બસ સેવા આગળ મુજબ યથાવત જ કાર્યરત રહેશે. વલસાડ વડનગર ટ્રેન સવારે સવારે વલસાડથી 5:45 કલાકેઉપડે છે. વડનગર 12:45 કલાકે પહોંચે છે. વડનગરથી સાંજના 4:45 વાગે ઉપડી વલસાડ રાત્રે 12:35 કલાકે આવે છે તે મુજબ બસની કનેક્‍ટિવિટી ચાલુ કરાઈ છે.

Related posts

જિલ્લામાં મતગણતરીના સ્‍થળે મતગણતરીમાં ખલેલ ના પહોચે તે અંગેનું જાહેરનામુ

vartmanpravah

વલસાડ તિથલ રોડ ઉપરથી ડુપ્‍લિકેટ સોનાના બિસ્‍કીટ-ઘરેણા લઈ શિકારની શોધમાં નિકળેલી ગેંગઝડપાઈ

vartmanpravah

આજે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળામાં 35163 લાભાર્થી 81 કરોડની સહાય ચૂકવાશે

vartmanpravah

દાનહના ચિસદા ગામના નવયુવાન ચિત્રકાર અશ્વિનભાઈ ચીબડાએ પોતાની કલા-કૌશલ્‍યનો આપેલો બેનમૂન પરિચય

vartmanpravah

વાપી પાલિકા જીયુડીસી સંચાલિત સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ સામે સ્‍થાનિકોએ વિરોધ નોંધાવ્‍યો

vartmanpravah

નવસારી જિલ્લામાં પશુપાલન ખાતાની ૧૫ ટીમો દ્વારા ૧૦૯ ગામોમાં સર્વે પૂર્ણ: અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપી

vartmanpravah

Leave a Comment