April 17, 2026
Vartman Pravah
Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં મિક્ષ ઋતુ વચ્‍ચે સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલમાં શરદી, ખાંસી,તાવના દર્દીઓની સંખ્‍યા વધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકામાં મિક્ષ ઋતુ વચ્‍ચે સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલમાં શરદી, ખાંસી, તાવના દર્દીઓની સંખ્‍યા વધી જવા પામી છે. છેલ્લા 13-દિવસમાં 2495 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
હાલે દિવસ દરમ્‍યાન વાદળછાયા વાતાવરણ વચ્‍ચે ગરમી અને ઉકળાટ જ્‍યારે રાત્રે તાપમાનનો પારો નીચે જતા ઠંડી અનુભવાતી હોય છે. આમ ઉનાળા શિયાળાની મિક્ષ ઋતુ વચ્‍ચે રોગચાળામાં પણ વધારો થવા પામ્‍યો છે. ખાસ કરીને શરદી, ખાંસી અને તાવના દર્દીઓની સંખ્‍યા દિવસે-દિવસે વધી રહી છે. તાલુકાભરના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં પણ ઓપીડીમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ચીખલી, ખેરગામ, વાંસદા, મહુવા, ગણદેવી સહિતના તાલુકાઓના ગરીબ વર્ગના લોકો માટે ખૂબ મહત્‍વની એવી ચીખલીની સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલમાં પણ દર્દીઓની સંખ્‍યા વિશેષ જોવા મળી રહી છે. આ હોસ્‍પિટલ હાલે દર્દીઓ અને તેમના સગા સબંધીઓથી ધમધમતી રહે છે. ફેબ્રુઆરીમાં આ હોસ્‍પિટલમાં 6420 જેટલા દર્દીઓની સારવાર આપવામાં આવી હતી. જ્‍યારે હાલે 1 થી 13 માર્ચ દરમ્‍યાન 13 દિવસમાં 2495 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
હોસ્‍પિટલના આરએમઓ ડો.માલતીબેનના જણાવ્‍યાનુસાર હાલે માથાનોદુઃખાવો, શરદી, ખાંસીના દર્દીઓની સંખ્‍યા વધી છે. આ ઉપરાંત છેલ્લા દસેક દિવસમાં આંખની તકલીફ હોય તેવા દર્દીઓની સંખ્‍યામાં પણ વધારો થયો છે. 13-મી ના રોજ 385 જેટલા દર્દીઓને એક જ દિવસમાં સારવાર આપવામાં આવી છે.
—-

Related posts

પારડીના રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાનદાદાના જન્‍મોત્‍સવની ધામધૂમથી ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકાની 61-ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીમાં સાંજ સુધીમાં 31 જેટલી ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર

vartmanpravah

ભારત સરકારના ડાયરેક્‍ટોરેટ ઓફ એન્‍ફોર્સમેન્‍ટ (ઈડી)ના સર્વેમાં દમણમાં સુખા પટેલ અને તેની મંડળીના રહેણાંક-વેપારીક સ્‍થળેથી કરોડોની રોકડ સહિત 100 કરતા વધુ બેનામી સંપત્તિનો થયેલો ઘટસ્‍ફોટ

vartmanpravah

ફડવેલ ગામે જર્જરિત હાલતમાં ગ્રામ પંચાયતનું મકાન હાડપિંજર અવસ્‍થામાં: કામકાજ અર્થે આવતા અરજદારોમાં ભયનો માહોલ

vartmanpravah

દીવ ખાતે 154 મી ગાંધી જયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રીની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં રાયપુરમાં આશરે રૂ. 7500 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

Leave a Comment