October 14, 2025
Vartman Pravah
Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં મિક્ષ ઋતુ વચ્‍ચે સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલમાં શરદી, ખાંસી,તાવના દર્દીઓની સંખ્‍યા વધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકામાં મિક્ષ ઋતુ વચ્‍ચે સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલમાં શરદી, ખાંસી, તાવના દર્દીઓની સંખ્‍યા વધી જવા પામી છે. છેલ્લા 13-દિવસમાં 2495 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
હાલે દિવસ દરમ્‍યાન વાદળછાયા વાતાવરણ વચ્‍ચે ગરમી અને ઉકળાટ જ્‍યારે રાત્રે તાપમાનનો પારો નીચે જતા ઠંડી અનુભવાતી હોય છે. આમ ઉનાળા શિયાળાની મિક્ષ ઋતુ વચ્‍ચે રોગચાળામાં પણ વધારો થવા પામ્‍યો છે. ખાસ કરીને શરદી, ખાંસી અને તાવના દર્દીઓની સંખ્‍યા દિવસે-દિવસે વધી રહી છે. તાલુકાભરના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં પણ ઓપીડીમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ચીખલી, ખેરગામ, વાંસદા, મહુવા, ગણદેવી સહિતના તાલુકાઓના ગરીબ વર્ગના લોકો માટે ખૂબ મહત્‍વની એવી ચીખલીની સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલમાં પણ દર્દીઓની સંખ્‍યા વિશેષ જોવા મળી રહી છે. આ હોસ્‍પિટલ હાલે દર્દીઓ અને તેમના સગા સબંધીઓથી ધમધમતી રહે છે. ફેબ્રુઆરીમાં આ હોસ્‍પિટલમાં 6420 જેટલા દર્દીઓની સારવાર આપવામાં આવી હતી. જ્‍યારે હાલે 1 થી 13 માર્ચ દરમ્‍યાન 13 દિવસમાં 2495 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
હોસ્‍પિટલના આરએમઓ ડો.માલતીબેનના જણાવ્‍યાનુસાર હાલે માથાનોદુઃખાવો, શરદી, ખાંસીના દર્દીઓની સંખ્‍યા વધી છે. આ ઉપરાંત છેલ્લા દસેક દિવસમાં આંખની તકલીફ હોય તેવા દર્દીઓની સંખ્‍યામાં પણ વધારો થયો છે. 13-મી ના રોજ 385 જેટલા દર્દીઓને એક જ દિવસમાં સારવાર આપવામાં આવી છે.
—-

Related posts

વલસાડ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીની પૂણહુતિ કરવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે-2023નો પ્રારંભ: સર્વે માટે ત્રણેય જિલ્લાઓમાં તાલીમની થયેલી શરૂઆત

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍થિત કેમિકલ કંપનીમાં લાગેલી ભિષણ આગ

vartmanpravah

સંસદની જળ સંસાધન સંબંધિત સ્‍ટેન્‍ડિંગ કમિટિના સાંસદોએ દમણવાડા ગ્રામ પંચાયત અને નંદઘરની લીધેલી મુલાકાત

vartmanpravah

અધ્‍યક્ષ સત્‍યેન્‍દ્ર કુમાર અને પૂર્વ અધ્‍યક્ષ આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ની નવી ટીમે તાજેતરમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણ સ્‍વરાજના તંત્રી પંકજભાઈ પટેલની અંતિમ યાત્રામાં જોડાયેલો માનવ મહેરામણઃ પરિવારજનોના કલ્‍પાંતથી હિબકે ચડેલો સમગ્ર વિસ્‍તાર

vartmanpravah

Leave a Comment