(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલીના બામણવેલ પાટિયા પાસે આવેલ જીવીએમ પ્લાયવુડમાં છેલ્લા બે દિવસ પૂર્વે મજૂરી કામ અર્થે આવેલ દંપતિ કંપનીના કવાટર્સમાં રહેતું હતું. દરમ્યાન ગત રાત્રે બારેક વાગ્યાના અરસામાં સ્વપન મોહિતરામ મહલો (ઉ.વ-43) (રહે.ભસદાબરી દક્ષિણ ધાલકર અલીપુરદોર જલપૈગુરી વેસ્ટ બંગાળ) જે રૂમનો દરવાજો બહારથી બંધ કરી નીકળી ગયા બાદ રૂમની આગળ છાપરાના વાંસમાં નાઈલોનની દોરીથી ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા અને તેનું મરણ થતા તેની પત્ની પનનીતિબેન સ્વપન મોહિતરામ મહલો (ઉ.વ-32)ની ફરિયાદમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.