April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલીના બામણવેલ પાટિયા પાસે આવેલ જીવીએમ પ્‍લાયવુડમાં છેલ્લા બે દિવસ પૂર્વે મજૂરી કામ અર્થે આવેલ દંપતિ કંપનીના કવાટર્સમાં રહેતું હતું. દરમ્‍યાન ગત રાત્રે બારેક વાગ્‍યાના અરસામાં સ્‍વપન મોહિતરામ મહલો (ઉ.વ-43) (રહે.ભસદાબરી દક્ષિણ ધાલકર અલીપુરદોર જલપૈગુરી વેસ્‍ટ બંગાળ) જે રૂમનો દરવાજો બહારથી બંધ કરી નીકળી ગયા બાદ રૂમની આગળ છાપરાના વાંસમાં નાઈલોનની દોરીથી ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા અને તેનું મરણ થતા તેની પત્‍ની પનનીતિબેન સ્‍વપન મોહિતરામ મહલો (ઉ.વ-32)ની ફરિયાદમાં પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રોજેકટ નિરીક્ષણ અભિયાનનો આરંભ

vartmanpravah

વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે

vartmanpravah

વલસાડની બેઠક લોકસભા કે વિધાનસભામાં જે પક્ષ જીતે તેની સરકાર બને : આ વાયીકા વધુ એકવાર સાચી ઠરી

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં ભારે પવન સાથે વરસાદઃ કેટલાક ગામોમાં કરા પડયા

vartmanpravah

પારડીના પંચલાઈમાં મેડિકલ વેસ્‍ટનો જથ્‍થો ખુલ્લામાં ફેંકાતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડની ૩૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈઃ કારોબારી પ્રમુખ તરીકે ફરીવાર બળવંતસિંહ સોલંકીની નિમણૂંક

vartmanpravah

Leave a Comment