Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા સની ભીમરાએ ખરડપાડાના ખાડીપાડા વિસ્‍તારની લીધેલી મુલાકાતઃ ગામલોકો સાથે કરેલી ચર્ચા-વિચારણાં

ખાડીપાડા વિસ્‍તારમાં છેલ્લા ઘણાં દાયકાઓથી પાકો રોડ નહીં બન્‍યો હોવાની ઉઠેલી ફરિયાદઃ રોડના નિર્માણ માટે યોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપર રજૂઆત કરવા આપેલો સધિયારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલીના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા શ્રી સની ભીમરાએ ખરડપાડા ગ્રામ પંચાયતના ખાડીપાડા વિસ્‍તારની મુલાકાત લઈ ગામલોકોની સમસ્‍યાથી રૂબરૂ થયા હતા.
ખાડીપાડા વિસ્‍તારના ગામલોકોએ જણાવ્‍યું હતું કે, દાયકાઓથી તેઓ પાકા રસ્‍તાની રાહ જોઈ રહ્યા છે. પાકો રસ્‍તો નહીં હોવાથી વરસાદના સમયે પડતી તકલીફની જાણકારી પણ શ્રી સની ભીમરાને ગામલોકોએ આપી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ પણ વરસાદના સમયમાં શાળાએ જવા પડતી મુશ્‍કેલીનો ચિતાર પણ આપ્‍યો હતો.
યુવા નેતા શ્રી સની ભીમરાએ ગામલોકોની વાતો સાંભળી તેના નિરાકરણ માટે યોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપર રજૂઆત કરવાનો સધિયારો આપ્‍યો હતો. શ્રી સની ભીમરાની સાથે તેમની ટીમના કાર્યકરો પણ મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

Related posts

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં ઉપલબ્‍ધ કરાયેલી સીસીટીવી કેમેરાની સુવિધા :ગુનાહિત પ્રવૃત્તિ ઉપર આવનારો અંકુશ

vartmanpravah

સ્‍વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્‍મ દિન નિમિત્તે સેલવાસની લાયન્‍સ અંગ્રેજી શાળામાં ‘બાળ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ફોટોસ્‍ટોરી

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલની સવારે ગોળી મારી કરાયેલી હત્‍યા

vartmanpravah

હિંમતનગર : ડીએસપી ઓફિસ ખાતે સાબરકાંઠા પોલીસ દ્વારા લોન મેળો યોજાયો મોટી સંખ્‍યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા

vartmanpravah

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયનો આદેશ  સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ મહાદેવ દુમ્‍બરેની આઈ.જી. તરીકે બઢતીઃ એસ.પી. અમિત શર્મા અને આર.પી.મીણાને ડીઆઈજીપી પદ ઉપર પ્રમોશન

vartmanpravah

Leave a Comment