April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા સની ભીમરાએ ખરડપાડાના ખાડીપાડા વિસ્‍તારની લીધેલી મુલાકાતઃ ગામલોકો સાથે કરેલી ચર્ચા-વિચારણાં

ખાડીપાડા વિસ્‍તારમાં છેલ્લા ઘણાં દાયકાઓથી પાકો રોડ નહીં બન્‍યો હોવાની ઉઠેલી ફરિયાદઃ રોડના નિર્માણ માટે યોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપર રજૂઆત કરવા આપેલો સધિયારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલીના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા શ્રી સની ભીમરાએ ખરડપાડા ગ્રામ પંચાયતના ખાડીપાડા વિસ્‍તારની મુલાકાત લઈ ગામલોકોની સમસ્‍યાથી રૂબરૂ થયા હતા.
ખાડીપાડા વિસ્‍તારના ગામલોકોએ જણાવ્‍યું હતું કે, દાયકાઓથી તેઓ પાકા રસ્‍તાની રાહ જોઈ રહ્યા છે. પાકો રસ્‍તો નહીં હોવાથી વરસાદના સમયે પડતી તકલીફની જાણકારી પણ શ્રી સની ભીમરાને ગામલોકોએ આપી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ પણ વરસાદના સમયમાં શાળાએ જવા પડતી મુશ્‍કેલીનો ચિતાર પણ આપ્‍યો હતો.
યુવા નેતા શ્રી સની ભીમરાએ ગામલોકોની વાતો સાંભળી તેના નિરાકરણ માટે યોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપર રજૂઆત કરવાનો સધિયારો આપ્‍યો હતો. શ્રી સની ભીમરાની સાથે તેમની ટીમના કાર્યકરો પણ મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

Related posts

દમણમાં આંતર શાળા બીચ વોલીબોલ અંડર-19(બોયઝ)ની સ્‍પર્ધામાં સાર્વજનિક વિદ્યાલય પ્રથમ ક્રમે આવી

vartmanpravah

દાનહ ઓ.આઈ.ડી.સી.માંથી સામાન લઈ જવા/ લાવવા માટે નક્કી કરાયેલા કરાર મુજબ ટેમ્‍પો ભાડું નહીં મળતાં મસાટના ટેમ્‍પો એસોસિએશન દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

દેશના ભવ્‍ય ઈતિહાસને જીવંત કરતા પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લેવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું આહ્‌વાન

vartmanpravah

વાપી નગરપાલિકા ચૂંટણીમાં 15602 નવા નોંધાયેલા યુવા મતદારો નિર્ણાયક સાબિત થશે

vartmanpravah

નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો

vartmanpravah

પાવરગ્રીડની વર્ષગાંઠની ઉજવણી : ‘આઝાદીના અમળત મહોત્‍સવ’ અંતર્ગત વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્‍વન્‍સી

vartmanpravah

Leave a Comment