Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દમણની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક ભીમપોર શાળાનું આશાસ્‍પદ 94.12 ટકાપરિણામ

ગ્રામ્‍ય વિસ્‍તારના શ્રમજીવી પરિવારો માટે આશીર્વાદરૂપ બનેલ ભીમપોરની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઃ 4 વર્ષમાં બે વિદ્યાર્થીઓ એમબીબીએસમાં અને 19 વિદ્યાર્થીઓ વિવિધ ઉચ્‍ચ અભ્‍યાસક્રમમાં પ્રવેશ મેળવી પોતાના ઉજ્જવળ ભવિષ્‍યના સપનાને સાકાર કરી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: દમણની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા, ભીમપોરનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ખુબ જ આશાસ્‍પદ રહેવા પામ્‍યું છે. 17 વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આપેલી પરીક્ષામાં માત્ર 1 વિદ્યાર્થી ફેલ થતાં શાળાનું કુલ 94.12 ટકા પરિણામ આવી શક્‍યું છે.
અત્રે યાદ રહે કે, ભીમપોર શાળા મુખ્‍યત્‍વે દમણના ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવેલી શાળા છે. આ શાળામાં વિદ્યાર્થીઓ ખુબ જ સામાન્‍ય અને શ્રમજીવી પરિવારમાંથી ભણવા માટે આવે છે. જે વાલીઓ પોતાના સંતાનોની ખાનગી શાળાની ફી તેમજ ટયૂશન ફી ચુકવવા માટે પણ સક્ષમ નથી હોતા તેવા વિદ્યાર્થીઓ માટે ભીમપોર શાળા આશીર્વાદરૂપ બની રહી છે.
આ ગ્રામ્‍ય વિસ્‍તારની શાળામાંથી ગરીબ મા-બાપના સંતાનો પણ પોતાનું ડોક્‍ટર બનવાનું સ્‍વપ્ન સાકાર કરી રહ્યા છે. છેલ્લા 4 વર્ષમાં આ શાળામાંથી બે વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવી ચુક્‍યા છે અને 19 જેટલા વિદ્યાર્થીઓ બી.ફાર્મ,બી.સી.એ., પેરા મેડિકલ, નર્સિંગ જેવી ફેકલ્‍ટીમાં અભ્‍યાસ કરી પોતાનું ઉજ્જવળ ભવિષ્‍યનું સપનુ સાકાર કરી રહ્યા છે.
ભીમપોર શાળા પરિવારના પ્રિન્‍સિપાલ શ્રી વાય.એસ.મોડાસિયા, ઈન્‍ચાર્જ શ્રી આર.બી.પટેલ તેમજ તમામ શિક્ષકગણોએ ઉત્તિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા છે અને તેમના સોનેરી ભવિષ્‍યની કામના કરી છે.

Related posts

દાનહમાં વન વિભાગ દ્વારા સાયક્‍લોથોન યોજાઈઃ ‘પર્યાવરણ બચાવો’નો બુલંદ બનેલો સંદેશ

vartmanpravah

સેલવાસના મંદિર ફળિયામાં પાણીની પાઈપલાઈન તુટી જતા વ્યર્થ વહી જતું પાણી

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટનો ચુકાદો: નરોલીમાં થયેલ હત્‍યાના આરોપીને આજીવન કારાવાસ અને 15હજાર અર્થદંડની સજા

vartmanpravah

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, ખાતે ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્‍પર્ધા” યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકની થયેલ તારાજી અંગે નુકશાન સર્વે પૂર્ણ કરાયો

vartmanpravah

Leave a Comment