Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટનો ચુકાદો: નરોલીમાં થયેલ હત્‍યાના આરોપીને આજીવન કારાવાસ અને 15હજાર અર્થદંડની સજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06: દાદરા નગર હવેલીના નરોલી ગામે ત્રણ વર્ષ અગાઉ થયેલ હત્‍યાના ગુનામાં ડીસ્‍ટ્રીકટ કોર્ટ સેલવાસમાં એક આરોપીને દોષી જાહેર કર્યો છે. અદાલતે આરોપી સોનુ પુરષોતમ સિંહને આજીવન કારાવાસ અને 15 હજાર રૂપિયાની જમાનતની સજા સંભળાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર નરોલી ગામે 12ઓગસ્‍ટ, 2019નારોજ મોડી રાત્રે એક મહિલાની લાશ મળી હતી. મહિલાની ઓળખ સોનમ સિંહ (ઉ.વ.27) તરીકે થઈ હતી જે એના પતિ સોનુ પુરષોતમ સિંહ અને એક બાળક સાથે મહેન્‍દ્રસિંહ સોલંકીની ચાલ નરોલીમાં રહેતી હતી. 12ઓગસ્‍ટના રોજ એ મહિલાની હત્‍યા કરાયેલ અવસ્‍થામાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં નરોલી પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પીએસઆઈ શ્રી અનિલ ટી.કે. અને એમની ટીમ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાના ભાઈ પિં્રસ મોહનસિંહ ચૌહાણ રહેવાસી નરોલી, મૂળ રહેવાસી ભરતપુર-રાજસ્‍થાન જેઓએ એમના બનેવી સોનુ વિરુદ્ધ હત્‍યાની ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે નરોલી પોલીસે 13 ઓગસ્‍ટ, 2019ના રોજ આરોપી વિરુદ્ધ આઇપીસીની કલમ 302 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી, બાદમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સેલવાસ કોર્ટના સરકારી વકીલ ગોવર્ધન પુરોહિતની દલીલને ગ્રાહ્ય રાખી અને પુરાવાઓને આધારે આરોપી સોનુ પુરષોતમ સિંહને સોનમની હત્‍યાનો દોષી માની કલમ 302 મુજબ આજીવન કારાવાસ અને રૂા.15 હજારના અર્થદંડની સજા ફટકારી છે.

Related posts

વાપી હાઈવે ઉપર કાર અકસ્‍માતમાં રાષ્‍ટ્રીય રાજપૂત કર્ણી સેના દમણના અધ્‍યક્ષ કનકસિંહ જાડેજાનું નિધન

vartmanpravah

દાનહના દૂધની નજીક કૌંચા ખાતે યોજાયેલ બેઠક દાનહમાં કોંગ્રેસે પોતાના જનાધારને વધારવા શરૂ કરેલા પ્રયાસોઃ કોંગ્રેસના વિજયને સુનિશ્ચિત કરવાનો સંકલ્‍પ

vartmanpravah

દિલ્હી IIT ખાતે ઉન્નતિ મહોત્સવમાં વલસાડની સરકારી ઇજનેરી કોલેજની ઈનોવેટિવ ટેકનોલોજીની પસંદગી

vartmanpravah

દમણવાડા પંચાયત દ્વારા વિશ્વવિભૂતિ ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ ઉજવાશે

vartmanpravah

વાપી લવાછાના પરિવારે ઉજ્જેન મહાકાલ દરબારમાં 2.6 કિલો રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કર્યો

vartmanpravah

હિંમતનગર શ્રી ગણેશ યુવક સેવા મંડળ દ્વારા સ્‍વામી વિવેકાનંદની જન્‍મ જયંતી અવસરે સાદર શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

vartmanpravah

Leave a Comment