April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકની થયેલ તારાજી અંગે નુકશાન સર્વે પૂર્ણ કરાયો

442 ગામોમાં 23,658 હેક્‍ટર જમીનમાંની આંબાવાડી સર્વે કરાઈ : 25,852 અસરગ્રસ્‍ત ખેડૂતોની સર્વેટીમે મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લામાં ખેડૂતોનો મુખ્‍ય પાર્ક કેરી છે. આ વર્ષે વારંવાર કમોસમી વરસાદ પડતા કેરીના પાકનું ભારે નુકશાન થયું છે તેથી રાજ્‍ય સરકાર દ્વારા આંબાવાડીઓમાં કેરી પાકને થયેલ નુકશાનનો સર્વે પુરો કરવામાં આવ્‍યો છે. ખેતીવાડી વિભાગ દ્વારા નુકશાનીનો સર્વે સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે. ત્‍યારબાદ ખેડૂતો માટે વળતરની જાહેરાત કરવામાં આવશે.
ચાલું વર્ષે કેરીનો પાક બજારમાં આવે તે પહેલાં જ વલસાડ જિલ્લામાં વારંવાર કમોસમી વરસાદ પડતા સૌથી વધુ નુકશાન કેરી પાકને થયું હતું. ફલાવરીંગ-મોર મોટા ભાગનો વરસાદે ખરાબ કરી દેતા 50 થી 60 ટકા કેરી પાકને નુકશાન થયું છે. સ્‍થાનિક તમામ ધારાસભ્‍યોએ ગાંધીનગરમાં કૃષિમંત્રી અને સરકારમાં કેરી પાકમાં થયેલ નુકશાન પેટે વરસાદ જિલ્લાના ખેડૂતોને વળતર આપવું જોઈએ. ધારાસભ્‍યોની રજૂઆત બાદ સરકારના ખેતીવાડી વિભાગને વલસાડ જિલ્લામાં થયેલ કેરી પાકના નુકશાનનો સર્વે કરી રિપોર્ટ કરવા જણાવ્‍યું હતું તેથી ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને નુકશાનનો સર્વે કરી રિપોર્ટ કરવા જણાવ્‍યું હતું. તેથી ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને ટીમે એ જિલ્લાના 442 ગામોની મુલાકાત લીધી હતી. તેમજ જિલ્લામાં 23658 હેક્‍ટરની આંબાવાડીઓનો સર્વે કામગીરી હાથ ધરી હતી. જેમાં સર્વે ટીમે 25,852 અસરગ્રસ્‍ત ખેડૂતોની મુલાકાત લઈને સર્વે કામગીરી પૂર્ણ કરી લીધી છે. ખેતીવાડી વિભાગ ગાંધીનગર રિપોર્ટ કરશે. ત્‍યારબાદ સરકાર તરફથી કેરી પાક નુકશાન વળતર અંગેની જાહેરાત કરવામાં આવશે. અત્‍યારે કેરીનો નવો પાક માર્કેટમાં આવવાનો શરૂ થઈ ગયો છે. પાક નુકશાનને કારણે કેસર અને હાફુસનો ભાવ દર વર્ષ કરતાં ડબ્‍બલ ભાવ ચાલી રહ્યો છે. એટલે કે 1200 થી 1600 વચ્‍ચે કેરીના ભાવ બોલાઈ રહ્યા છે.

Related posts

દાદરા નગર હવેલીના ખેલો ઇન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સ ખાતે ટેબલ ટેનિસ હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પનો પ્રારંભ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ

vartmanpravah

મોટી દમણ પટલારા ખાતેના ભીખી માતા મંદિર અને હરિ હરેશ્વર મહાદેવ મંદિરના 8મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

સરીગામ પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દાનહ રોટરી ક્‍લબના પૂર્વ પ્રમુખ અને ડાયરેક્‍ટર વિરલ રાજપૂતે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાતઃ જ્ઞાનની પરબ શરૂ કરવા બદલ સરપંચશ્રીને આપેલા અભિનંદન

vartmanpravah

ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ દ્વારા પારડીના ડુમલાવ ખાતે 71 માં ખેડ સત્‍યાગ્રહ કિસાન રેલીનું થયું આયોજન

vartmanpravah

Leave a Comment