January 16, 2026
Vartman Pravah
Breaking Newsખેલદેશસેલવાસ

દાનહમાં વન વિભાગ દ્વારા સાયક્‍લોથોન યોજાઈઃ ‘પર્યાવરણ બચાવો’નો બુલંદ બનેલો સંદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.14 : 1લી નવેમ્‍બર 2021ના રોજ ગ્‍લાસગોમાં COP26 ખાતે વડાપ્રધાન શ્રીનરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ‘પર્યાવરણ માટેની જીવનશૈલી LiFE)’ની વિભાવના રજૂ કરવામાં આવી હતી, જેમાં વ્‍યક્‍તિઓ અને સંસ્‍થાઓના વૈશ્વિક સમુદાયને LiFEને આંતરરાષ્‍ટ્રીય જન ચળવળ તરીકે આગળ ધપાવવા હાકલ કરવામાં આવી હતી. જે પહેલ અંતર્ગત આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલની ચરિતાર્થ કરવા ‘પર્યાવરણ બચાવો’ના જાગૃતિ સંદેશ હેતુ સાયક્‍લોથોનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આજે આયોજીત સાયક્‍લોથોનને સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ નજીકથી દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાના હસ્‍તે લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. સાયક્‍લોથોન સેલવાસ શહેરના મુખ્‍ય માર્ગો પર ફરી હતી અને ‘પર્યાવરણ બચાવો’ના સંદેશ સાથે જનજાગૃતિનો પ્રયાસ કર્યો હતો. આ અવસરે નાયબ વન સંરક્ષક શ્રી વર્ગીશ થોમસે જણાવ્‍યું હતું કે, ‘લાઈફ સ્‍ટાઈલ ફોર એન્‍વયારોમેન્‍ટ’નો મુખ્‍ય ઉદ્દેશ્‍ય દૈનિક જીવનમાં લાઈફ સ્‍ટાઈલમાં બદલાવ જેવા કે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો વપરા ટાળો, ઊર્જા બચાવો, પાણીની બચત કરો, તંદુરસ્‍તી માટે સાયકલનો ઉપયોગ કરવો. પર્યાવરણના રક્ષણ અને જાળવણી માટે “mindful and deliberate utilisation, instead of mindless and destructive consumption” ‘વિવેકહીન અને વિનાશક વપરાશને બદલેસચેત અને ઇરાદાપૂર્વકનો ઉપયોગ’ની થીમને આપણા રોજીંદા જીવનનો ભાગ બનાવવા પર ભાર મુકાયો હતો. કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ પણ પર્યાવરણ બચાવવા માટે આપણી ભૂમિકા અંગે વિસ્‍તૃત સમજણ આપી હતી. આ સાયક્‍લોથોનમાં વન વિભાગના અધિકારીઓ સહિત 400થી વધુ સાયકલસવારોએ ભાગ લીધો હતો.

Related posts

વાપીમાં નેશનલ હાઈવે પર સાનવી હ્યુન્‍ડાઈ શોરૂમનું ઉદઘાટન સમારોહ રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલ દ્વારા બે દિવસીય સંસ્કૃતિ હમારી ધરોહર કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મોટી દમણ પરિયારી ખાતે રાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે દીવમાં જિલ્લા કક્ષાની પુરૂષ અને મહિલા શ્રેણીની દોરડાખેંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

શહીદ દિવસ નિમિત્તે ધરમપુર આર.એસ.એસ. આયોજિત રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્તા એકત્રિત થયું

vartmanpravah

પારડીના પાટી ગામે વિજ ચેકીંગ કરવા ગયેલા વિજ કંપનીના કર્મચારીઓ ઉપર હૂમલો

vartmanpravah

Leave a Comment