October 14, 2025
Vartman Pravah
Breaking Newsખેલદેશસેલવાસ

દાનહમાં વન વિભાગ દ્વારા સાયક્‍લોથોન યોજાઈઃ ‘પર્યાવરણ બચાવો’નો બુલંદ બનેલો સંદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.14 : 1લી નવેમ્‍બર 2021ના રોજ ગ્‍લાસગોમાં COP26 ખાતે વડાપ્રધાન શ્રીનરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ‘પર્યાવરણ માટેની જીવનશૈલી LiFE)’ની વિભાવના રજૂ કરવામાં આવી હતી, જેમાં વ્‍યક્‍તિઓ અને સંસ્‍થાઓના વૈશ્વિક સમુદાયને LiFEને આંતરરાષ્‍ટ્રીય જન ચળવળ તરીકે આગળ ધપાવવા હાકલ કરવામાં આવી હતી. જે પહેલ અંતર્ગત આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલની ચરિતાર્થ કરવા ‘પર્યાવરણ બચાવો’ના જાગૃતિ સંદેશ હેતુ સાયક્‍લોથોનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આજે આયોજીત સાયક્‍લોથોનને સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ નજીકથી દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાના હસ્‍તે લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. સાયક્‍લોથોન સેલવાસ શહેરના મુખ્‍ય માર્ગો પર ફરી હતી અને ‘પર્યાવરણ બચાવો’ના સંદેશ સાથે જનજાગૃતિનો પ્રયાસ કર્યો હતો. આ અવસરે નાયબ વન સંરક્ષક શ્રી વર્ગીશ થોમસે જણાવ્‍યું હતું કે, ‘લાઈફ સ્‍ટાઈલ ફોર એન્‍વયારોમેન્‍ટ’નો મુખ્‍ય ઉદ્દેશ્‍ય દૈનિક જીવનમાં લાઈફ સ્‍ટાઈલમાં બદલાવ જેવા કે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો વપરા ટાળો, ઊર્જા બચાવો, પાણીની બચત કરો, તંદુરસ્‍તી માટે સાયકલનો ઉપયોગ કરવો. પર્યાવરણના રક્ષણ અને જાળવણી માટે “mindful and deliberate utilisation, instead of mindless and destructive consumption” ‘વિવેકહીન અને વિનાશક વપરાશને બદલેસચેત અને ઇરાદાપૂર્વકનો ઉપયોગ’ની થીમને આપણા રોજીંદા જીવનનો ભાગ બનાવવા પર ભાર મુકાયો હતો. કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ પણ પર્યાવરણ બચાવવા માટે આપણી ભૂમિકા અંગે વિસ્‍તૃત સમજણ આપી હતી. આ સાયક્‍લોથોનમાં વન વિભાગના અધિકારીઓ સહિત 400થી વધુ સાયકલસવારોએ ભાગ લીધો હતો.

Related posts

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

vartmanpravah

રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

વાપી નગરપાલિકામાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત સામાજીક સંસ્‍થા અને વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ

vartmanpravah

વાપીમાં આમ આદમી પાર્ટીનો વેપારી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો : ભાજપ ઉપર આકરાપ્રહારો

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણના સ્‍વયંસેવકોનું રાજ્‍ય સ્‍તરની વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

vartmanpravah

Leave a Comment