April 26, 2024
Vartman Pravah
Breaking Newsખેલદેશસેલવાસ

દાનહમાં વન વિભાગ દ્વારા સાયક્‍લોથોન યોજાઈઃ ‘પર્યાવરણ બચાવો’નો બુલંદ બનેલો સંદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.14 : 1લી નવેમ્‍બર 2021ના રોજ ગ્‍લાસગોમાં COP26 ખાતે વડાપ્રધાન શ્રીનરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ‘પર્યાવરણ માટેની જીવનશૈલી LiFE)’ની વિભાવના રજૂ કરવામાં આવી હતી, જેમાં વ્‍યક્‍તિઓ અને સંસ્‍થાઓના વૈશ્વિક સમુદાયને LiFEને આંતરરાષ્‍ટ્રીય જન ચળવળ તરીકે આગળ ધપાવવા હાકલ કરવામાં આવી હતી. જે પહેલ અંતર્ગત આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલની ચરિતાર્થ કરવા ‘પર્યાવરણ બચાવો’ના જાગૃતિ સંદેશ હેતુ સાયક્‍લોથોનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આજે આયોજીત સાયક્‍લોથોનને સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ નજીકથી દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાના હસ્‍તે લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. સાયક્‍લોથોન સેલવાસ શહેરના મુખ્‍ય માર્ગો પર ફરી હતી અને ‘પર્યાવરણ બચાવો’ના સંદેશ સાથે જનજાગૃતિનો પ્રયાસ કર્યો હતો. આ અવસરે નાયબ વન સંરક્ષક શ્રી વર્ગીશ થોમસે જણાવ્‍યું હતું કે, ‘લાઈફ સ્‍ટાઈલ ફોર એન્‍વયારોમેન્‍ટ’નો મુખ્‍ય ઉદ્દેશ્‍ય દૈનિક જીવનમાં લાઈફ સ્‍ટાઈલમાં બદલાવ જેવા કે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો વપરા ટાળો, ઊર્જા બચાવો, પાણીની બચત કરો, તંદુરસ્‍તી માટે સાયકલનો ઉપયોગ કરવો. પર્યાવરણના રક્ષણ અને જાળવણી માટે “mindful and deliberate utilisation, instead of mindless and destructive consumption” ‘વિવેકહીન અને વિનાશક વપરાશને બદલેસચેત અને ઇરાદાપૂર્વકનો ઉપયોગ’ની થીમને આપણા રોજીંદા જીવનનો ભાગ બનાવવા પર ભાર મુકાયો હતો. કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ પણ પર્યાવરણ બચાવવા માટે આપણી ભૂમિકા અંગે વિસ્‍તૃત સમજણ આપી હતી. આ સાયક્‍લોથોનમાં વન વિભાગના અધિકારીઓ સહિત 400થી વધુ સાયકલસવારોએ ભાગ લીધો હતો.

Related posts

ધરમપુરના વિલ્‍સનહિલ પર મેરેથોન યોજાઈઃ દક્ષિણ ગુજરાત અને કેન્‍યાના દોડવીરોએ ભાગ લીધો

vartmanpravah

પેટા ચૂંટણીનું પરિણામ દાદરા નગર હવેલીના ભવિષ્‍યનું નિર્ધારણ કરશેઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગની નોંધપાત્ર કામગીરી : ટૂંકાગાળામાં જ 86 ટકા કામગીરી પૂર્ણ કરી 2.10 લાખ જેટલા આભા કાર્ડ બનાવ્‍યા

vartmanpravah

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

દાનિક્‍સ અધિકારીઓની બદલી અને વિભાગોમાં ફેરબદલ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય, પોલીસ, શિક્ષણ, એક્‍સાઈઝ, પંચાયત અને નગરપાલિકા વિભાગ દ્વારા પ્રદેશમાં તમ્‍બાકુના નિયંત્રણના પ્રભાવશાળી અમલ માટે થનારા પ્રયાસો

vartmanpravah

Leave a Comment