July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપી નગરપાલિકા દ્વારા પાણી સપ્‍લાય બંધ રહેશે: ભર ઉનાળે પાણીની બુમો વચ્‍ચે લેવાયેલ નિર્ણયથી લોકરોષ

મેજર પાઈપલાઈનનું સમારકામ કરવાનું હોવાથી પાણી સપ્‍લાય બંધનો લેવાયેલ નિર્ણય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી નગરપાલિકા દ્વારા આવતીકાલ તા.05ને શુક્રવારના રોજ આખા દિવસ માટે પાણી સપ્‍લાય બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.
ઉનાળાના સમયમાં વાપી વિસ્‍તારમાં સામાન્‍ય રીતે ભૂગર્ભ જળ આમ પણ નીચે જતા હોવાથી શહેરમાં પાણીની કારમી ખેંચ, તંગી વર્તાઈ રહી છે. જેમાં કાળમાં અધિક માસની જેમ તા.05ને શુક્રવારના રોજ વાપી નગરપાલિકા દ્વારા આખો દિવસ પાણી પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્‍ય પાઈપલાઈનનું સમારકામ હાથ ધરાવવાનું હોવાથી દિવસ દરમિયાન પાણી સપ્‍લાય બંધ રહેશે તેવુ પાલિકા સુત્રો દ્વારાજણાવાયું છે. આમ પણ શહેરમાં પાણીની બુમાબુમ ચાલી રહી છે. ટેન્‍કરોથી પાણી મંગાવી કેટલીક સોસાયટીઓ પાણી સમસ્‍યા ઓછી કરી રહી છે ત્‍યાં પાલિકાનું પાણી બંધ રહેશે ત્‍યારે શહેરના નાગરિકોમાં વ્‍યાપક રોષ ફેલાયેલો જોવા મળ્‍યો હતો. કેટલીક સોસાયટીઓમાં આગામી ઉપર ભુગર્ભ જળના પાણી બોરિંગથી ખેંચી કામ ચલાવાઈ રહ્યું છે તે પણ માંડ માંડ કારણ કે ભુગર્ભ જળના લેવલ દિવસે દિવસે ઘટી રહ્યા છે.

Related posts

નવસારી જિલ્લા ક્‍વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો રાખેલો મક્કમ નિર્ધાર

vartmanpravah

રાષ્‍ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા સેલવાસ સરકિટ હાઉસમાં ‘ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ’ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવા 1.48 લાખ મતદારો નોંધાયા, જેમાં 17 હજાર યુવા મતદારો : કુલ 1316598 મતદારો

vartmanpravah

પાલઘરના મનોર ખાતે ખાડીમાં માછીમારી કરવા ગયેલ યુવક પર શાર્કનો હુમલો

vartmanpravah

ગત સપ્તાહે દિલ્‍હીની મુલાકાતે આવેલા માલદીવ્‍સના રાષ્‍ટ્રપતિની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

આજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

Leave a Comment