March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્‍તારમાં પથરાયેલી ઓઈલ વેસ્‍ટની કાળી ચાદર

સહેલાણીઓને ધ્‍યાનમાં રાખી નારગોલ ગ્રામ પંચાયતે એમના હદ વિસ્‍તારમાંથી તાત્‍કાલિક દૂર કરવાની હાથ ધરેલી પ્રશંસનીય કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: ઉમરગામ તાલુકા સહિત મહારાષ્‍ટ્રના વાણગાવ થી વલસાડ સુધીનાં દરિયા કિનારે ઓઈલ વેસ્‍ટનો જથ્‍થો પથરાવવાની ઘટના વર્ષ દરમિયાન બેથી ત્રણ વાર પ્રકાશમાં આવી રહી છે. જેને ટાર બોલ તરીકે ઓળખવામાં આવે છે જે દરિયા કિનારેની રેતીમાં મિશ્રણ થતા ડામરની ગોળીઓ જેવો આકાર બની જવા પામે છે. હાલમાં ઉમરગામ તાલુકાના ઉમરગામથી નારગોલ સુધીના દરિયા કિનારે ફરી ઘટનાનું પુનરાવર્તન થવા પામ્‍યું છે. જેના કારણે દરિયો કિનારો પ્રદૂષિત અને પર્યાવરણ દ્રષ્ટિએ બિહામણો લાગે છે. ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટે સ્‍થાનિક આગેવાનો, પર્યાવરણવાદીઓ, અને પંચાયત કચેરીઓ દ્વારા ઉચ્‍ચસ્‍તરીય રજૂઆત લગાતાર કરવામાં આવે છે. દરિયાઈ જીવ સૃષ્ટિને ખતરા રૂપ સાબિત થતી આ ઘટનામાં ફરિયાદ બાદ થોડા અંશે અંકુશ આવવા પામ્‍યો હતો. પરંતુ આજરોજ ઉમરગામ અને નારગોલના દરિયા કિનારે ઓઈલ વેસ્‍ટનો જથ્‍થો ફરી તણાઈ આવ્‍યો છે. જેને તાત્‍કાલિક દૂરકરવા નારગોલ ગ્રામ પંચાયતે કમર કસી છે. નારગોલ પંચાયતના સરપંચ શ્રીમતી સ્‍વીટીબેન યતીનભાઈ ભંડારી અને એમની ટીમે કરેલી પ્રશંસનીય કામગીરીની નોંધ તાલુકા કક્ષાના અધિકારીઓ અને માછીમારો ભાઈઓ દ્વારા લેવામાં આવી છે.

Related posts

વાપી સહિત વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવસભર ધોધમાર વરસાદ વરસ્‍યો

vartmanpravah

આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ: વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો ડર ઘટ્યો, વર્ષ ૨૦૧૯માં ૩૪૫ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨માં માત્ર ૨૨ થયા

vartmanpravah

વલસાડ પારસી અંજુમન ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ.રતન ટાટાને શ્રદ્ધાંજલી અપાઈ

vartmanpravah

ઉમરગામ પાલિકાએ નિર્મળ ગુજરાત સ્‍વચ્‍છતા પખવડિયા અંતર્ગત પ્રારંભ કરેલી કામગીરી

vartmanpravah

દાનહમાં બાંધકામને લગતી કામગીરીની પ્રક્રિયા ઓનલાઇન કરાઈ

vartmanpravah

બીલીમોરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment