April 25, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્‍તારમાં પથરાયેલી ઓઈલ વેસ્‍ટની કાળી ચાદર

સહેલાણીઓને ધ્‍યાનમાં રાખી નારગોલ ગ્રામ પંચાયતે એમના હદ વિસ્‍તારમાંથી તાત્‍કાલિક દૂર કરવાની હાથ ધરેલી પ્રશંસનીય કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: ઉમરગામ તાલુકા સહિત મહારાષ્‍ટ્રના વાણગાવ થી વલસાડ સુધીનાં દરિયા કિનારે ઓઈલ વેસ્‍ટનો જથ્‍થો પથરાવવાની ઘટના વર્ષ દરમિયાન બેથી ત્રણ વાર પ્રકાશમાં આવી રહી છે. જેને ટાર બોલ તરીકે ઓળખવામાં આવે છે જે દરિયા કિનારેની રેતીમાં મિશ્રણ થતા ડામરની ગોળીઓ જેવો આકાર બની જવા પામે છે. હાલમાં ઉમરગામ તાલુકાના ઉમરગામથી નારગોલ સુધીના દરિયા કિનારે ફરી ઘટનાનું પુનરાવર્તન થવા પામ્‍યું છે. જેના કારણે દરિયો કિનારો પ્રદૂષિત અને પર્યાવરણ દ્રષ્ટિએ બિહામણો લાગે છે. ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટે સ્‍થાનિક આગેવાનો, પર્યાવરણવાદીઓ, અને પંચાયત કચેરીઓ દ્વારા ઉચ્‍ચસ્‍તરીય રજૂઆત લગાતાર કરવામાં આવે છે. દરિયાઈ જીવ સૃષ્ટિને ખતરા રૂપ સાબિત થતી આ ઘટનામાં ફરિયાદ બાદ થોડા અંશે અંકુશ આવવા પામ્‍યો હતો. પરંતુ આજરોજ ઉમરગામ અને નારગોલના દરિયા કિનારે ઓઈલ વેસ્‍ટનો જથ્‍થો ફરી તણાઈ આવ્‍યો છે. જેને તાત્‍કાલિક દૂરકરવા નારગોલ ગ્રામ પંચાયતે કમર કસી છે. નારગોલ પંચાયતના સરપંચ શ્રીમતી સ્‍વીટીબેન યતીનભાઈ ભંડારી અને એમની ટીમે કરેલી પ્રશંસનીય કામગીરીની નોંધ તાલુકા કક્ષાના અધિકારીઓ અને માછીમારો ભાઈઓ દ્વારા લેવામાં આવી છે.

Related posts

રાજ્‍યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી નગરપાલિકાના રૂા.816 લાખના ખર્ચે તૈયાર થનાર પેડેસ્‍ટ્રીયન અંડરપાસ/સબવેનું ખાતમૂહુર્ત અને નગરપાલિકાના 57 સફાઈ કામદારોને હુકમો એનાયત કરાયા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં વિશ્વ એઈડ્‍સ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં દિવાળી ટાણે પ્રવાસીઓનો રહેનારો અભૂતપૂર્વ ધસારોઃ દમણ-દીવ અને દાનહની લગભગ તમામ હોટલોના બુકિંગ ફૂલ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં શિક્ષણ સંસ્‍થાના સો મીટરના અંતરમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા પર પ્રતિબંધ

vartmanpravah

સલવાવની બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ” નિમિતે વિદ્યાર્થીઓ માટે ઓરલ પ્રેઝન્‍ટેશન સ્‍પર્ધા તેમજ જાગૃતિ વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

ગુજરાતની અન્‍ય ઔદ્યોગિક વસાહતોની સાથે વાપી વી.આઈ.એ. દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓની રજા રાખવા જાહેર અપીલ કરાઈ

vartmanpravah

Leave a Comment