April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા રૂમલા ખાતે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ સંમેલન’ યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા રૂમલા ખાતે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં સંકલ્‍પ સત્‍યાગ્રહ સંમેલન યોજવામાં આવ્‍યું.
રૂમલામાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આઈ.સી.પટેલ કાર્યકારી પ્રમુખ વલ્લભભાઈ દેશમુખ સહિતનાની ઉપસ્‍થિતમાં યોજાયેલ સંકલ્‍પ સત્‍યાગ્રહ સંમેલનમાં વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત લોકોને સંબોધતા ધારાસભ્‍ય અનંત પટેલે જણાવ્‍યું હતું કે સંકલ્‍પ સત્‍યાગ્રહ એ એક રાષ્ટ્‌વ્‍યાપી આંદોલન છે. અને લોકશાહી બચાવવા માટેનો આ સત્‍યાગ્રહ છે. સંસદ ભવનમાં રાહુલજીએ પશ્ન કર્યો કે એસબીઆઈ અને એલઆઈસીના રૂપિયા અદાણીને કેવી રીતે મળ્‍યા અને એ સામાન્‍ય લોકોના પૈસાની ભરપાઈની જવાબદારી સરકાર કેવી રીતે નિભાવશે. અદાણીની કંપનીમાં વિસ હજાર કરોડ રૂપિયા કયાંથી અને કોના આવ્‍યા? બેરોજગારી અને ભ્રષ્ટાચારના પ્રશ્નોથી ગભરાયેલી સરકારે રાહુલજીનું સંસદ સભ્‍ય પદ રદ કરી લોકોને ડરાવવાનો પ્રયત્‍નો કર્યા હતા. આધાર કાર્ડ, પાન કાર્ડ લીંક કરવાનો એક હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે. વારંવાર પેપર લિક કાંડ કરીને બેરોજગારીઓને નોકરીઓઆપવામાં આવતી નથી. સાથે આવનાર સમયમા કોંગ્રેસ લોકોના પ્રશ્નો લઈને રસ્‍તા પર ઉતરવાની પણ તૈયારી કરી રહ્યું છે. તેમ જણાવી ભાજપ સરકાર પર ચાબખા માર્યા હતા.
રૂમલામાં રાત્રી દરમ્‍યાન યોજાયેલ સંમેલનમાં સ્‍થાનિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસમાં વિકાસના નામે વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોનો લેવાઈ રહ્યો છે ભોગ

vartmanpravah

દાનહ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ હરિ ટી. ખંડારેનું હૃદય રોગના હૂમલાથી નિધનઃ પોલીસબેડામાં ફેલાયેલી શોકની લાગણી

vartmanpravah

સ્‍ટાફના અભાવે દાનહના નરોલી ખાતે વર્ષોથી કાર્યરત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય-પુસ્‍તકાલયને છેલ્લા 3 મહિનાથી લાગેલા તાળા

vartmanpravah

મોટી દમણ-પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરના પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી સંપન્ન

vartmanpravah

મોદી સરકારના શાસનમાં રાજભાષા હિંદીને મળી રહેલું સર્વોચ્‍ચ ગૌરવ સંસદીય રાજભાષા સમિતિના સભ્‍યોએ દમણની બે દિવસીય લીધેલી મુલાકાતઃ વિવિધ કાર્યાલયોની કરેલી સમીક્ષા

vartmanpravah

વલસાડના પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં પોલીસની દેવદૂતની ભૂમિકાઃ સેંકડો લોકોનું સ્‍થળાંતર કરાવ્‍યું

vartmanpravah

Leave a Comment