March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના તલાવચોરા સ્‍થિત ઈંગારી પહાડમાં આગ લાગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: ચીખલીના તલાવચોરા ઇંગારી પહાડમાં જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ દ્વારા તેમના સરપંચ તરીકેના કાર્યકાળ દરમ્‍યાન વન વિભાગના સહયોગથી મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. અને તેમના દ્વારા વૃક્ષારોપણ બાદ જરૂરી માવજત પણ કરવામાં આવતા મોટી સફળતા મળી હતી. અને આ વૃક્ષારોપાણના પંદરેક વર્ષ વીતી જતા આ ઇંગારી પહાડ એક સમયે લીલાછમ વૃક્ષોથી છવાઈ ગયો હતો.
જોકે હાલે કેટલાક ઝાડો વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ-વે ની લાઇન દોરીમાં આવતા કપાઈ જવા પામ્‍યા છે. પરંતુ જે ઝાડો બચેલા છે તેની સાર સંભાળ રાખવામાં આવે તે જરૂરી છે. તેવામાં હાલે આ વિસ્‍તારમાં કોઈકે કચરો સળગાવ્‍યા બાદ પૂરતી તકેદારી ન રાખવામાં આવતા આગ સૂકા ઘાસના કારણે વધુ વિસ્‍તારમાં ઝડપથી પ્રસરી જતા ઘણા ઝાડો બળી જતા નુકશાન થવા પામ્‍યું હતું.
પર્યાવરણની ખોરવાયેલી સ્‍થિત વચ્‍ચે સરકાર દ્વારા પણ વૃક્ષારોપાણને મહત્‍વ આપી વધુ ને વધુ વૃક્ષોના ઉછેર માટે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્‍નો કરી રહી છે. ત્‍યારેઝાડોને નુકશાન ન થાય તે માટે લોકો દ્વારા પણ એટલી જ સાવચેતી અને તકેદારી રાખવામાં આવે એજ સમયનો તકાજો છે.

Related posts

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વડાપ્રધાનશ્રી મોદીજીના આગમનને આવકારવા વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

દાદરાની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહમાં જો કોઈ ઉદ્યોગ કે કોન્‍ટ્રાક્‍ટરે લઘુત્તમ વેતન ધારાનો ભંગ કર્યો તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશેઃ દાનહના શ્રમ ઉપ આયુક્‍ત ચાર્મી પારેખે જારી કરેલો સરક્‍યુલર

vartmanpravah

વલસાડમાં પ્રેમલગ્નના ચાર મહિના બાદ છૂટાછેડા માટે પતિ-પત્‍ની વચ્‍ચેના ઝઘડામાં પતિએ પત્‍નીનું ઢીમ ઢાળી દીધું

vartmanpravah

નેશનલ હાઈવેના જીવલેણ બની રહેલા ખાડાઓએ વલસાડ નજીક ડુંગરીના પિતા, માતા, પૂત્રીનો ભોગ લીધો

vartmanpravah

Leave a Comment