Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી જીઆઈડીસીની કલાનિધિ કંપનીમાં ભીષણ આગ લાગતાં કંપની બળીને ખાખ

ત્રણ જેટલા કર્મચારીઓનો પહેલા માળેથી કુદતા થયો આબાદ બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: પારડી જીઆઈડીસી ખાતે આવેલી ફોમ બનાવતી કંપનીમાં મધરાત્રીએ આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જિલ્લા ભરની ફાયર ટીમના સવાર સુધીના અથાગ પ્રયત્‍ન છતાં કંપની બળીને ખાખ થઈ ગઈ હતી.
પારડી જીઆઈડીસીમાં આવેલી કલાનિધિ ફોમ કંપનીમાં ગઈ રાતે બે અઢી વાગ્‍યાનાસુમારે અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. કંપનીમાં બનાવવામાં આવતુ ફોમને લઈ આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું હતું. જેથી ભાગ-દોડના દ્રશ્‍યો સર્જાયા હતા.
સૌથી મહત્‍વનું છે કે, આજ કંપનીમાં કામ કરતા અને કંપનીના પહેલા માળે રહેતા વિકાસ શ્રીરામ નાગરા ઉ.વ.24 રહે.હરિયાણા, વિશાલ ચનાલિયા ઉ.વ.25, રમેશભાઈ રવુલિયા પટેલ ઉ.વ.25 આગની ભયાનકતા જોઈ પહેલા માળેથી કૂદતા તેઓને નાનામોટી ઈજાઓ થઈ હતી. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. આ ત્રણેય ઈજાગ્રસ્‍તોને પારડી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે.
આગ અંગે આજુબાજુમાં આવેલી કંપનીના કામદારોએ ફાયરની ટીમને જાણ કરતા સૌ પ્રથમ પારડી ફાયરની ટીમને થતા સ્‍થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્‍યારબાદ આગ મોટી હોવાના કારણે વલસાડ, વાપી, અતુલ વાપી નોટિફાઈડ અને ધરમપુરની ફાયર મળી કુલ 7 જેટલી ફાયરની ટીમ ઘટના સ્‍થળે પહોંચી સવાર સુધી આ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ કંપનીમાં મુકવામાં આવેલ માલ સહિત સમગ્ર કંપની બળીને ખાખ થઈ જવા પામી હતી. આ આગને લઈ કંપનીમાં મોટું નુકસાન થયું હોવાનું અંદાજવામાં આવે છે. જોકે આગ લાગવાનુ હજી ચોક્કસ કારણ બહાર આવ્‍યું નથી.

Related posts

ઉમરગામ નવી જીઆઈડીસીમાં નજીવી બાબતે થયેલી હત્‍યા અને એક ગંભીર

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જે કહ્યું તે કર્યું: પોતાની કલ્‍પનાના પ્રદેશ નિર્માણ માટે અનેક વિટંબણા સાથે બાથ ભીડી દાનહ અને દમણ-દીવની કાયાપલટ માટે મેળવેલી સફળતા

vartmanpravah

વાંસદા તાલુકાના સરા અને ખંભાલિયા ગામના નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાતા 13 લોકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

નેશનલ હાઈવે 48 પર ખાડો બચાવવાના પ્રયાસમાં તલાસરી પાસે કાર ડિવાઈડર કુદીને સામેના ટ્રેક પર ટેમ્‍પો સાથે ધડાકાભેર ટકરાતા સેલવાસના બે યુવાનોના કરૂણ મોત

vartmanpravah

દીવમાં લાંગરેલી બોટમાં ગત રાત્રીએ લાગેલી આગઃ બંને બોટ બળીને ખાખ: ડેપ્‍યુટી કલેક્‍ટર શિવમ મિશ્રાએ આગની ઘટના બાબતે વણાંકબારા ખાતે બોટ માલિકો સાથે યોજેલી સમીક્ષા બેઠક

vartmanpravah

ધરમપુરના નગારીયામાં રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી નિમિત્તે પુસ્‍તક પરબ ખુલ્લુ મુકાયું

vartmanpravah

Leave a Comment