Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના નગારીયામાં રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી નિમિત્તે પુસ્‍તક પરબ ખુલ્લુ મુકાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: સમગ્ર દેશમાં તા.14 થી 20 નવેમ્‍બર સુધી રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે. ત્‍યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નગારીયા ગામે પટેલ ફળિયામાં શ્રી ચોસઠ જોગણી માતાજીના મંદિરના સંકુલમાં ધોરાજીની શ્રી પટેલ મહિલા કોલેજના લાઇબ્રેરીયન કમલેશભાઈ પટેલ અને વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજના પ્રાધ્‍યાપક કિરણભાઈ પટેલ દ્વારા આ પુસ્‍તક પરબ શરૂ કરવામાં આવ્‍યું હતું. આ પુસ્‍તક પરબ માટેના પુસ્‍તકો પ્રાધ્‍યાપક કિરણભાઈ પટેલે પોતાની અંગત લાઇબ્રેરીમાંથી દાન પેટે આપ્‍યા હતા. આ પુસ્‍તક પરબમાં સામાયિકો, ધાર્મિક પુસ્‍તકો, બાળવાર્તાઓ, કેરિયરને લગતા પુસ્‍તકો વગેરે છે. જેનો લાભ ફળિયાના અબાલ વૃદ્ધોને મળી રહેશે. આમ, ભક્‍તિ અને જ્ઞાનનો સંગમ દરેક વ્‍યક્‍તિને ચિંતન માટે પ્રેરણા રૂપ બનશે. આ પુસ્‍તક પરબને ફળિયાના વયોવૃદ્ધ વડીલ મગનદાદાના હસ્‍તે ખુલ્લુ મુકવામાં આવ્‍યું હતું.
આ પુસ્‍તક પરબને ખુલ્લુ મુકતા લાઇબ્રેરીયન કમલેશભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં પુસ્‍તકોની ઉપયોગતા સમજાવી હતી. પ્રાધ્‍યાપક કિરણભાઈ પટેલે જીવન ઘડતર માટે પુસ્‍તકોનું મૂલ્‍યસમજાવ્‍યું હતું. આ પુસ્‍તક પરબના લોકાર્પણમાં બહોળી સંખ્‍યામાં ભાઈઓ, બહેનો અને બાળકોએ ઉત્‍સાહભેર હાજરી આપી હતી.

Related posts

વાપીના સિક્કાની બીજી બાજું-ભડકમોરા સુંદરનગર વિસ્‍તારમાં પથરાયેલા નર્કાગારમાં જીંદગી શ્વસી રહી છે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેઍ લેવડાવેલા સંકલ્પ

vartmanpravah

નીતિન જાની ઉર્ફે ‘‘ખજૂરભાઈ” અને મીનાક્ષી દવેએ પ્રભૂતામાં પગલાં પાડયા પછી નાનાપોંઢામાં આદિવાસી પરિવારના મસીહા બની પહેલું ઘર બનાવી ગૃહ પ્રવેશ કરાવ્‍યો

vartmanpravah

વિકાસનો આધાર સ્‍તંભ શિક્ષણ : ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દમણમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નહીં: તકેદારી રાખવી જરુરી

vartmanpravah

વાપી મહારાષ્‍ટ્ર મિત્રમંડળ ગણેશ મહોત્‍સવમાં યોજેલ રંગોળી સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલની વિદ્યાર્થીની વિજેતા

vartmanpravah

Leave a Comment