January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી જીઆઈડીસીની કલાનિધિ કંપનીમાં ભીષણ આગ લાગતાં કંપની બળીને ખાખ

ત્રણ જેટલા કર્મચારીઓનો પહેલા માળેથી કુદતા થયો આબાદ બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: પારડી જીઆઈડીસી ખાતે આવેલી ફોમ બનાવતી કંપનીમાં મધરાત્રીએ આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જિલ્લા ભરની ફાયર ટીમના સવાર સુધીના અથાગ પ્રયત્‍ન છતાં કંપની બળીને ખાખ થઈ ગઈ હતી.
પારડી જીઆઈડીસીમાં આવેલી કલાનિધિ ફોમ કંપનીમાં ગઈ રાતે બે અઢી વાગ્‍યાનાસુમારે અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. કંપનીમાં બનાવવામાં આવતુ ફોમને લઈ આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું હતું. જેથી ભાગ-દોડના દ્રશ્‍યો સર્જાયા હતા.
સૌથી મહત્‍વનું છે કે, આજ કંપનીમાં કામ કરતા અને કંપનીના પહેલા માળે રહેતા વિકાસ શ્રીરામ નાગરા ઉ.વ.24 રહે.હરિયાણા, વિશાલ ચનાલિયા ઉ.વ.25, રમેશભાઈ રવુલિયા પટેલ ઉ.વ.25 આગની ભયાનકતા જોઈ પહેલા માળેથી કૂદતા તેઓને નાનામોટી ઈજાઓ થઈ હતી. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. આ ત્રણેય ઈજાગ્રસ્‍તોને પારડી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે.
આગ અંગે આજુબાજુમાં આવેલી કંપનીના કામદારોએ ફાયરની ટીમને જાણ કરતા સૌ પ્રથમ પારડી ફાયરની ટીમને થતા સ્‍થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્‍યારબાદ આગ મોટી હોવાના કારણે વલસાડ, વાપી, અતુલ વાપી નોટિફાઈડ અને ધરમપુરની ફાયર મળી કુલ 7 જેટલી ફાયરની ટીમ ઘટના સ્‍થળે પહોંચી સવાર સુધી આ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ કંપનીમાં મુકવામાં આવેલ માલ સહિત સમગ્ર કંપની બળીને ખાખ થઈ જવા પામી હતી. આ આગને લઈ કંપનીમાં મોટું નુકસાન થયું હોવાનું અંદાજવામાં આવે છે. જોકે આગ લાગવાનુ હજી ચોક્કસ કારણ બહાર આવ્‍યું નથી.

Related posts

ઈતિહાસના ઉત્તમ અને સચોટ મૂલ્‍યાંકન માટે આપણે વિશ્વસ્‍તરીય માપદંડોના હિસાબે નવી ટેકનીકનો ઉપયોગ કરવો જોઈએઃકેન્‍દ્રીય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્‍વાસ્‍થ્‍ય અને આરોગ્‍ય સુરક્ષા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના ઇતિહાસમાં પહેલી વખત દેશના રાષ્‍ટ્રપતિ નરોલી ગામમાં પોતાના પગલાં પાડશે

vartmanpravah

કપરાડા વિધાનસભા વિસ્તારમાં નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

પારડીતાલુકાના ગોયમા ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, દાતાઓ અને માનવ સેવા ટ્રસ્‍ટ દ્વારા મોક્ષ રથનું  કરાયેલું લોકાર્પણ

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી યુવા મતદારો: 39 વર્ષથી નીચેના 133381 મતદારો વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનશે

vartmanpravah

Leave a Comment