August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી જીઆઈડીસીની કલાનિધિ કંપનીમાં ભીષણ આગ લાગતાં કંપની બળીને ખાખ

ત્રણ જેટલા કર્મચારીઓનો પહેલા માળેથી કુદતા થયો આબાદ બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: પારડી જીઆઈડીસી ખાતે આવેલી ફોમ બનાવતી કંપનીમાં મધરાત્રીએ આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જિલ્લા ભરની ફાયર ટીમના સવાર સુધીના અથાગ પ્રયત્‍ન છતાં કંપની બળીને ખાખ થઈ ગઈ હતી.
પારડી જીઆઈડીસીમાં આવેલી કલાનિધિ ફોમ કંપનીમાં ગઈ રાતે બે અઢી વાગ્‍યાનાસુમારે અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. કંપનીમાં બનાવવામાં આવતુ ફોમને લઈ આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું હતું. જેથી ભાગ-દોડના દ્રશ્‍યો સર્જાયા હતા.
સૌથી મહત્‍વનું છે કે, આજ કંપનીમાં કામ કરતા અને કંપનીના પહેલા માળે રહેતા વિકાસ શ્રીરામ નાગરા ઉ.વ.24 રહે.હરિયાણા, વિશાલ ચનાલિયા ઉ.વ.25, રમેશભાઈ રવુલિયા પટેલ ઉ.વ.25 આગની ભયાનકતા જોઈ પહેલા માળેથી કૂદતા તેઓને નાનામોટી ઈજાઓ થઈ હતી. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. આ ત્રણેય ઈજાગ્રસ્‍તોને પારડી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે.
આગ અંગે આજુબાજુમાં આવેલી કંપનીના કામદારોએ ફાયરની ટીમને જાણ કરતા સૌ પ્રથમ પારડી ફાયરની ટીમને થતા સ્‍થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્‍યારબાદ આગ મોટી હોવાના કારણે વલસાડ, વાપી, અતુલ વાપી નોટિફાઈડ અને ધરમપુરની ફાયર મળી કુલ 7 જેટલી ફાયરની ટીમ ઘટના સ્‍થળે પહોંચી સવાર સુધી આ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ કંપનીમાં મુકવામાં આવેલ માલ સહિત સમગ્ર કંપની બળીને ખાખ થઈ જવા પામી હતી. આ આગને લઈ કંપનીમાં મોટું નુકસાન થયું હોવાનું અંદાજવામાં આવે છે. જોકે આગ લાગવાનુ હજી ચોક્કસ કારણ બહાર આવ્‍યું નથી.

Related posts

સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજ વલસાડ જિલ્લા દ્વારા પારડીમાં જિલ્લા અને સંઘપ્રદેશના 300 તેજસ્‍વી તારલા અને વિશેષ વ્‍યક્‍તિઓનું સન્‍માન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

સોમવારે દાનહમાં 8, દમણમાં 9 અને દીવમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા મિલકતધારકોને જરૂરી ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ આપવા ખાસ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

તુંબની કંપની સામે સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડમાં પાણી ચોરીની ફરિયાદ

vartmanpravah

વલસાડમાં બપોર બાદ પુરના પાણી ઓસરતા (ઉતરતા) રસ્‍તાઓ ઉપર કાદવ કીચ્‍ચડ છવાઈ જતા લોકો પરેશાન

vartmanpravah

Leave a Comment