December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવમાં લાંગરેલી બોટમાં ગત રાત્રીએ લાગેલી આગઃ બંને બોટ બળીને ખાખ: ડેપ્‍યુટી કલેક્‍ટર શિવમ મિશ્રાએ આગની ઘટના બાબતે વણાંકબારા ખાતે બોટ માલિકો સાથે યોજેલી સમીક્ષા બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના પાવટી ખાતે ગત મધ્‍યરાત્રિના લગભગ અઢી વાગ્‍યાની આસપાસ પાવટીમાં લાંગરવામાં આવેલી બે બોટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેમાં બે બોટ બળીને ખાખ થઈ ગઈ હતી. બોટ બળી જવાના કારણે બોટમાલિકોને લાખોનું નુકસાન પહોંચ્‍યું હતું. જેને લઈને આજે દીવ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાના દિશા-નિર્દેશમાં ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી શિવમ મિશ્રાએ બપોરે બોટ માલિકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દરમિયાન ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી શિવમ મિશ્રાએ બોટ માલિકોને ડિઝલના બેરલ તથા ગેસના બાટલા વગેરે જે આગજની સાધન સામગ્રી હોય તેને બોટમાં અથવા દંગામાં નહીં રાખવા, રાત્રિના સમયે કોઈ અજાણ્‍યા શખ્‍સ જોવા મળે તો તરત પોલીસને જાણ કરવી, દરેકે ફાયર સેફટી માટેના સાધનો બોટમાં રાખવા, બને ત્‍યાં સુધી ડિઝલને સુરક્ષિત જગ્‍યાએ રાખવું અથવા સ્‍ટોર નહીં કરવા જણાવ્‍યું હતું. તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે ફાયરની બે ગાડીઓ વણાંકબારા ખાતે કોસ્‍ટલ પોલીસસ્‍ટેશન પાસે રહેશે. આ સાથે તેમણે અનેક સૂચનો બોટ માલિકોને કર્યા હતા.
બેઠકમાં ફિશરીઝ ઓફિસર શ્રી સુકર આંજણીએ અલગ અલગ બોટ વીમા વિશે જાણકારી આપી હતી. જેમાં બે મહિનાનો વીમો, ચાર મહિનાનો વીમો વગેરે માછીમારી બંધ હોય તે દરમિયાન લેવામાં આવે તો બોટમાં થતા નુકસાન અથવા આ રીતે થતાં બનાવની ભરપાઈ કરી શકાય. માછીમારોએ પણ તેમના પ્રશ્નોની રજૂઆત કરતા તેઓએ વાવાઝોડા દરમિયાન જે નુકસાન દીવના માછીમારોને ભોગવવું પડયું હતું તેનું વળતર હજુ મળ્‍યું નથી. દીવના માછીમારો આ દરેક સ્‍કીમથી વંચિત હોય તેથી જિલ્લા પ્રશાસને દીવના દરેક માછીમારોને વિવિધ સ્‍કીમોનો લાભ મળે તે માટે અપીલ કરી હતી.
દીવના દગાચી જેટી પર લાંગરવામાં આવેલ બે બોટમાં મધ્‍યરાત્રિએ અચાનક ભભૂકી ઉઠેલી આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Related posts

દમણમાં પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના ઉપાધ્‍યક્ષના નિવાસ સ્‍થાને મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને અર્પણ કરાયેલ પુષ્‍પાંજલિ

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ આહ્‌વાન કર્યું

vartmanpravah

મુંબઈ થી દિલ્‍હી જવા નીકળેલ મિત્રોની કાર ગુંદલાવ હાઈવે પર ટ્રકમાં ઘુસી જતા અકસ્‍માત સર્જાયો : 3 ઘાયલ

vartmanpravah

કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ દાનહના સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

vartmanpravah

Leave a Comment