September 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રામ લલ્લા મયઃ અંબામાતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી : હજારોની ભીડ ઉમટી

નાણામંત્રી કનુભાઈ દેસાઈ, એસ.પી. ડો.કરણરાજ વાઘેલાએ આરતી અને મહાપ્રસાદનો લાભ લીધોઃ સાંજે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ દ્વારા ભગવાન શ્રીરામની વંદના અને 2પ000થી વધુ દીવડાઓ સાથે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી આજે સોમવારે રામમય બન્‍યું હતું. અયોધ્‍યામાં પ્રભુ શ્રી રામના મંદિર મહા પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવને સત્‍કારવા આખુ ભારત રામ મય ભક્‍તિમાં લીન બની ગયું છે. દરેક શહેરો તથા ગામડાઓ અનેક આયોજનો મહા આરતી, મહા પ્રસાદ, પૂજા, હોમ યજ્ઞ, દિપકો પ્રગટાવા, આંગણે રંગોળીઓ પુરાઈ હતી. ગામ ગામ શોભાયાત્રા, વાહન-બાઈક રેલીઓનો ધમધમાટ જોવા મળ્‍યો હતો. અરેરામોત્‍સવને સત્‍કારવા વેપારીઓએ બજારો બંધ રાખીને રામ લલ્લામાં તરબોળ થયા હતા.
સાંજે અંબામાતા મંદિરે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત ભગવાન શ્રીરામની વંદના અને 2પ000થી વધુ દીવડાઓ સાથે મહાઆરતીના કાર્યક્રમમાં રાજ્‍યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.
રામ લલ્લાના રંગમાં વાપી પણ રંગાઈ ગયું હતું. જીઆઈઢીસી અંબા માતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. હજારોની સંખ્‍યામાં રામ ભક્‍ત ઉમટી પડયા હતા. આરતી પૂજા, મહા પ્રસાદનો લાભ લેવા લાંબી લાંબી કતારો જોવા મળી હતી. આ રામોત્‍સવમાં વિશેષ મહાનુભાવોની નોંધનીય ઉપસ્‍થિતિ રહી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા પોલીસ વડા ડો.કરણસિંહ વાઘેલા, મંદિર ટ્રસ્‍ટીઓ કમલેશભાઈ પટેલ, એ.કે. શાહ, વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, પૂર્વ પ્રમુખો, આગેવાન ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા હતા. સર્વે મહાનુભાવોએ મહા આરતી અને મહા પ્રસાદનો લાભ લઈને ધન્‍યતા અનુભવી હતી. આજે વાપીના બજારો પણ બંધ રહ્યા હતા. ઘરે ઘરે મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે રામ આયેગે ના સુરીલા સ્‍વરે દિવસભર સંભળાતા રહેલા.
આ મહાઉત્‍સવ નિમિતે વાપીના ગુંજન વિસ્‍તારમાં આવેલ અંબામાતા મંદિર ખાતે ભગવાન રામની પૂજાઅર્ચના માટે મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો ઉમટયા હતાં. સાંજે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્‍યું હતું. જે સાથે વિવિધ સામાજિક સંસ્‍થાઓ દ્વારા 25000 દીવડા પ્રગટાવી દીપોત્‍સવ ઉજવામાં આવ્‍યો હતો. 25000 પ્રજ્‍વલિત દીપને નિહાળવા મોટી સંખ્‍યામાં રામભક્‍તોએ મંદિરની મુલાકાત લીધી હતી. ભગવાન શ્રીરામના દર્શન કરી જય શ્રી રામનો જયઘોષ બોલાવ્‍યો હતો. આ પ્રસંગે વાપીના અનેક જાણીતા ઉદ્યોગપતિઓએ પણ અંબામાતા મંદિરની મુલાકત લઈ શ્રી રામના દર્શન કર્યા હતાં.

Related posts

આજે વયનિવૃત્ત થયેલા જિલ્લા માહિતી કચેરી ભરૂચના નાયબ માહિતી  નિયામક અને વલસાડ જિલ્લાના ઇનચાર્જ નાયબ માહિતી નિયામક અનિલભાઇ બારોટનો નિવૃત્તિ વિદાય સમારોહ વલસાડ ખાતે યોજાયો

vartmanpravah

દમણ જિલ્લાના શિક્ષકો માટે ક્રિયાત્‍મક સંશોધન અંતર્ગત ડાયટ ભવન, દમણના શિક્ષણ સદનના સભાખંડમાં બે દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમ સહ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વાપી બલીઠાથી સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક મહારાષ્‍ટ્ર શીવાજીનગરથી ઝડપાયો

vartmanpravah

પ્રશાસકશ્રીની દાનહ મુલાકાતનો બીજો દિવસઃ વિકાસકામોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં

vartmanpravah

વલસાડ મણીરત્‍ન હાઉસમાં ઓછા કેરેટના ઘરેણા પધરાવી નવુ સોનું લઈ જનાર ટોળકીના 6 ઝડપાયા

vartmanpravah

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

vartmanpravah

Leave a Comment