April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રામ લલ્લા મયઃ અંબામાતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી : હજારોની ભીડ ઉમટી

નાણામંત્રી કનુભાઈ દેસાઈ, એસ.પી. ડો.કરણરાજ વાઘેલાએ આરતી અને મહાપ્રસાદનો લાભ લીધોઃ સાંજે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ દ્વારા ભગવાન શ્રીરામની વંદના અને 2પ000થી વધુ દીવડાઓ સાથે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી આજે સોમવારે રામમય બન્‍યું હતું. અયોધ્‍યામાં પ્રભુ શ્રી રામના મંદિર મહા પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવને સત્‍કારવા આખુ ભારત રામ મય ભક્‍તિમાં લીન બની ગયું છે. દરેક શહેરો તથા ગામડાઓ અનેક આયોજનો મહા આરતી, મહા પ્રસાદ, પૂજા, હોમ યજ્ઞ, દિપકો પ્રગટાવા, આંગણે રંગોળીઓ પુરાઈ હતી. ગામ ગામ શોભાયાત્રા, વાહન-બાઈક રેલીઓનો ધમધમાટ જોવા મળ્‍યો હતો. અરેરામોત્‍સવને સત્‍કારવા વેપારીઓએ બજારો બંધ રાખીને રામ લલ્લામાં તરબોળ થયા હતા.
સાંજે અંબામાતા મંદિરે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત ભગવાન શ્રીરામની વંદના અને 2પ000થી વધુ દીવડાઓ સાથે મહાઆરતીના કાર્યક્રમમાં રાજ્‍યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.
રામ લલ્લાના રંગમાં વાપી પણ રંગાઈ ગયું હતું. જીઆઈઢીસી અંબા માતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. હજારોની સંખ્‍યામાં રામ ભક્‍ત ઉમટી પડયા હતા. આરતી પૂજા, મહા પ્રસાદનો લાભ લેવા લાંબી લાંબી કતારો જોવા મળી હતી. આ રામોત્‍સવમાં વિશેષ મહાનુભાવોની નોંધનીય ઉપસ્‍થિતિ રહી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા પોલીસ વડા ડો.કરણસિંહ વાઘેલા, મંદિર ટ્રસ્‍ટીઓ કમલેશભાઈ પટેલ, એ.કે. શાહ, વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, પૂર્વ પ્રમુખો, આગેવાન ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા હતા. સર્વે મહાનુભાવોએ મહા આરતી અને મહા પ્રસાદનો લાભ લઈને ધન્‍યતા અનુભવી હતી. આજે વાપીના બજારો પણ બંધ રહ્યા હતા. ઘરે ઘરે મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે રામ આયેગે ના સુરીલા સ્‍વરે દિવસભર સંભળાતા રહેલા.
આ મહાઉત્‍સવ નિમિતે વાપીના ગુંજન વિસ્‍તારમાં આવેલ અંબામાતા મંદિર ખાતે ભગવાન રામની પૂજાઅર્ચના માટે મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો ઉમટયા હતાં. સાંજે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્‍યું હતું. જે સાથે વિવિધ સામાજિક સંસ્‍થાઓ દ્વારા 25000 દીવડા પ્રગટાવી દીપોત્‍સવ ઉજવામાં આવ્‍યો હતો. 25000 પ્રજ્‍વલિત દીપને નિહાળવા મોટી સંખ્‍યામાં રામભક્‍તોએ મંદિરની મુલાકાત લીધી હતી. ભગવાન શ્રીરામના દર્શન કરી જય શ્રી રામનો જયઘોષ બોલાવ્‍યો હતો. આ પ્રસંગે વાપીના અનેક જાણીતા ઉદ્યોગપતિઓએ પણ અંબામાતા મંદિરની મુલાકત લઈ શ્રી રામના દર્શન કર્યા હતાં.

Related posts

સરીગામ સીઇટીપીની નાજુક સ્‍થિતિ

vartmanpravah

દાનહ અને દમણ-દીવની સરકારી બેન્‍કના કર્મચારીઓની બે દિવસીય હડતાલ: સરકાર દ્વારા સરકારી બેન્‍કોને પ્રાઇવેટીકરણ કરવાનો વિરોધ

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મરવડગ્રા.પં.ના સત્‍યસાગર ઉદ્યાનથી ગંગામાતા રોડ સુધીના માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળી: આદિજાતિ વિસ્‍તારમાં કુલ 728 કામો માટે કુલ રૂા.3203.18 લાખની જોગવાઈને મંજૂરી

vartmanpravah

Leave a Comment