(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: વલસાડ અને ડાંગ એ.સી.બી. પોલીસસ્ટેશનના ગુ.ર.નં. 08/2022 ભ્રષ્ટાચાર નિવારણ સુધારા અધિનિયમ સને 2018ની કલમ 7, 12 તથા 13(2) મુજબના ગુનાનો આરોપી અને વાપીમાં સી.જી.એસ.ટી એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝમાં ડિવિઝન-11માં વર્ગ-2માં સી.જી.એસ.ટી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ગુરપિન્દર મુખ્તિયાર સીંઘ (રહે. ફલેટ નં. 606, જી વીંગ, પ્રમુખ રેસીડેન્સી, ચલા રોડ, વાપી. મૂળ રહે. ઘર નં. 368, વોર્ડ નં. 7, બેદીનગર, જિ. મોગા, પંજાબ)એ ફરિયાદીએ પોતાની પેઢીનો બાકી સર્વિસ ટેક્ષ ભરી દીધો હોવા છતાં રૂ. 20 હજારની લાંચની માંગણી કરી હેરાન કરવાનું ચાલું રાખ્યું હતું. જેથી કંટાળીને ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ગુનામાં પોતાની ધરપકડ ટાળવા આરોપી ગુરપિન્દર સિંઘ નાસતો ફરતો હોવાથી આજદિન સુધી તપાસ દરમિયાન મળી આવ્યો નથી. જેથી જે કોઈને પણ તેની ભાળ અથવા માહિતી મળે તો વલસાડ અને ડાંગ એ.સી.બી. પોલીસ સ્ટેશનનો ફોન નં. 02632- 253155 પર સંપર્ક સાધવા એસીબી પીઆઈ ડી.એમ.વસાવાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.