Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના દાદરા ગામે ત્રણ આંગણવાડીમાં ખાનવેલના આરડીસીની અધ્‍યક્ષતામાં અને ઔદ્યોગિક એકમોના સહયોગ દ્વારા કુપોષિત બાળકો અને સ્‍તનપાન કરાવતી માતાઓને પૌષ્‍ટિક આહાર કિટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. દાદરા પંચાયતની તીઘરા આંગણવાડી, ઝરીયામોરા સહિત અન્‍ય આંગણવાડીમાં એમ.આર. પેકેજીંગ, બ્‍લુ સ્‍ટાર ઇન્‍ડિયા લિમિટેડ, ગ્રોવર વેલ લિમિટેડ સહિત અન્‍ય પાંચ કંપનીઓ દ્વારા આંગણવાડીના કુપોષિત બાળકો અને ધાત્રી માતાઓને લાડુ પેકેટ સાથે પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ પૌષ્‍ટિક આહાર કીટમાં બાળકો માટે મમરા, નાગલી, રવો, ખાદ્ય તેલ અને આયર્ન તથા લોહીની કમીથી પીડિત ધાત્રી માતાઓને ઘી અને પુષ્ટિવર્ધક ખાદ્યપદાર્થથી બનેલા લાડુનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. બાળકોને કુપોષણ મુક્‍ત અને માતાઓને સ્‍વાસ્‍થ્‍ય રક્ષણના સરકારી કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગોના સહયોગથી પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ અવસરે ખાનવેલના આરડીસી શ્રી અમિતકુમાર, દાદરા ગામના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, ઉપ સરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈ, દાદરા અનેસેલવાસની ઈન્‍ડસ્‍ટ્રીઝોના પ્રતિનિધિઓ સહિત આંગણવાડીના બાળકો અને માતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજની શૈક્ષણિક ક્ષેત્રે ઊંચી છલાંગઃ ડોક્‍ટર, સી.એ., પી.એચડી. સહિત વિવિધ ક્ષેત્રના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવ- શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા 100 દિવસ વાંચન અભિયાન વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરાયું

vartmanpravah

કચીગામમાં એકતા દિવસના ઉપલક્ષમાં ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

વાપી ભાજપ પરિવાર દ્વારા લોખંડી પુરુષ, ભારત રત્‍ન સરદાર પટેલની પુણ્‍યતિથિજી ઉજવણી કરાઈ

vartmanpravah

જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત “મા” કાર્ડ માટે ઈ – કે.વાય.સી. કરાવી શકાશે

vartmanpravah

વલસાડમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લાની ૫ નગરપાલિકાઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમો દ્વારા સફાઇ કામગીરી શરૂ

vartmanpravah

Leave a Comment