April 24, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

વલસાડઃતા.૨૨: વલસાડ જિલ્લાના કૃષિ પ્રાયોગિક કેદ્ર, નવસારી કૃષિ યુનીવર્સીટી, પરીયા દ્વારા ‘આઇ. સી. એ. આર.- અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના -ફળ’ અંતર્ગત પારડી તાલુકાના ખૂંટેજ અને સેગવા ખાતે ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમનું આયોજન સંશોધન વૈજ્ઞાનિક (બાગાયત) ડો. સાગર જે. પાટીલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ આંબામા નુકશાન કરતી મુખ્‍ય જીવાત તરીકે ઓળખાતી ફળમાંખીનું સંકલિત નિયંત્રણનો હતો.

આ કાર્યક્રમની શરૂઆતમાં સહ-સંશોધન વૈજ્ઞાનિક (બાગાયત) ડો. ચિરાગ આર. પટેલે સંસ્‍થાનો પરિચય તેમજ કેન્‍દ્ર ખાતે થતી વિવિધ કામગીરી વિશે સવિસ્‍તર માહિતી પૂરી પાડી હતી. મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (કિટકશાસ્‍ત્ર) ડો. સચિન એમ. ચવ્‍હાણે ફળમાખી જીવાતની ઓળખ, તેનું જીવનચક્ર, નુકશાન તેમજ સંકલિત વ્‍યવસ્‍થાપન વિશેના પગલાંઓની વિસ્‍તૃત જાણકારી આપવા ઉપરાંત નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલા અને ફળમાખી જીવાતના વ્‍યવસ્‍થાપન માટેની સફળ ટેકનોલોજી – ‘નૌરોજી સ્‍ટોનહાઉસ ફળમાખી ટ્રેપ’ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત દરેક ખેડૂતને ૧૦ ફળમાખી ટ્રેપનું વિતરણ કરી ટ્રેપ તૈયાર કરવા અને ખેતરમાં ગોઠવવા અંગે પદ્ધતિ નિદર્શનથી ખેડૂતોને માહિતગાર પણ કરવામાં આવ્‍યા હતા. આ બન્ને ગામોમાં યોજાયેલા કાર્યક્રમોમાં ખેડૂતોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

Related posts

તા.૧૫મી જાન્‍યુઆરીએ વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળશે

vartmanpravah

દાનહઃ પ્રાથમિક ગુજરાતી શાળા ગોરાતપાડામાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “રાષ્ટ્રીય યુવા દિવસ” નિમિતે વિધ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

vartmanpravah

દીવમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો પર્યટન સ્‍થળોમાં નવું સોપાન

vartmanpravah

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીને મજબૂત પુરાવાના આધાર સાથે જીપીસીબીએ આપેલી ક્‍લોઝર

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આપેલો સંદેશ

vartmanpravah

Leave a Comment