July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

આદિવાસી આગેવાનોએ જવાબદારો સામે એક્‍ટ્રોસિટી મુજબ
કાર્યવાહીની ફરિયાદ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ-નવસારી જિલ્લાના આદિવાસી સતત જાગૃત બની ગયા છે. ક્‍યારેય આદિવાસી સમાજ માટે અન્‍યાય સહન કરતા નહી. એકતા દર્શાવીને સતત ન્‍યાય માટે ઝઝુમી રહે છે. કંઈક તેવી ઘટના ઘેજ તા.ચીખલીમાં ઘટી હતી. એક આદિવાસી ઈસમને જાનથી મારી નાખવાની ધમકી તથા મર્ડર કરીશું તેવું કહેતા આ ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાત પડયા હતા. આજે આદિવાસી સમુદાયના આગેવાનો ખેરગામ પોલીસ સ્‍ટેશને ધસી ગયા હતા.
ઘેજમાં બનેલા બનાવ બાદ આદિવાસી આગોવનો મોટી સંખ્‍યા સાથે ખેરગામ પોલીસ સ્‍ટેશનમાં આજે ધસી ગયા હતા. ઘેજના બનાવ માટે ન્‍યાયની માંગણી કરી એક્‍ટ્રોસિટી એક્‍ટ હેઠળ ફરિયાદ કરવાની પી.એસ.આઈ.ને રજૂઆત કરી હતી. આદિવાસીઓ વિરોધી માનસિકતા ધરાવનાર ઈસમ સામે સખ્‍ત કાનુની કાર્યવાહી નહી થાય તો આવનારા દિવસોમાંઆખો આદિવાસી સમાજ ખેરગામ પોલીસ સ્‍ટેશન ખાતે ભેગો થશે તેવી ચીમકી પણ આદિવાસી આગેવાનો, કાર્યકરોએ ઉચ્‍ચારી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

કચીગામ ખાતે માન દેશી ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ 19 મહિલાઓને સિવણ ક્‍લાસ અને 9 મહિલાઓને બ્‍યુટીપાર્લરના આપવામાં આવેલા સર્ટીફિકેટ

vartmanpravah

વાપીમાં આવેલ વિદ્યાવિહાર સ્‍કૂલમાં જન્‍માષ્ટમી મહોત્‍સવનું થયેલું આયોજન

vartmanpravah

વલસાડમાં ફાયર સેફટી એન.ઓ.સી. નહિ ધરાવતી ત્રણ બેંકોની ઓફિસો પાલિકાએ સીલ કરી

vartmanpravah

નાના ખેડૂતોના કૃષિ ઉદ્યોગ સંઘ અને જિલ્લા ખેતીવાડી સંઘના સંયુક્‍ત ઉપક્રમે પારડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

પ્રવાસન વિભાગ દ્વારા તા.24થી 30 ઓગસ્‍ટ સુધી દમણ અને દાનહમાં યોજાનારો અફલાતૂન મોન્‍સૂન ફેસ્‍ટિવલઃ રમત-ગમત, મોજ-મસ્‍તી સાથે આનંદ-પ્રમોદનું આયોજન

vartmanpravah

Leave a Comment