March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજના ત્રણવિદ્યાર્થીએ આંતર કોલેજ કરાટે સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ચણોદ સ્‍થિત કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ વાપીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વિવિધ રમતમાં પણ વિશેષ તાલીમ આપવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત આંતર કોલેજ કરાટે (બોયઝ) સ્‍પર્ધા પી.એચ. આર્ટસ એન્‍ડ ઉમરાવ કોલેજ, કીમ દ્વારા આયોજિત વી.એન.એશ.જી.યુ. સુરતના કેમ્‍પસમાં આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજમાંથી મોટી સંખ્‍યામાં કરાટેબાજોએ ભાગ લઈને સ્‍પર્ધાને સફળ બનાવી હતી. સદર કોલેજના વિદ્યાર્થીઓએ પણ વિવિધ કેટેગરીમાં ભાગ લઈ ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરતા કરાટે સ્‍પર્ધામાં 3 બ્રોન્‍ઝ મેડલ મેળવી ચેમ્‍પિયન થયા હતા. જેમાં વિદ્યાર્થીઓણાં 1.ઓમ યાદવ (બ્રોન્‍ઝ મેડલ), ટી.વાય.બી.કોમ., 2.સમીર ખાન (બ્રોન્‍ઝ મેડલ) એસ.વાય.બી.કોમ., 3.રાજન મિશ્રા (બ્રોન્‍ઝ મેડલ) એફ.વાય.બી.એસસી પ્રોપ્ત કરતા સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કર્યું છે. આ દરેક કરાટેબાજોને તાલીમ તથા માર્ગદર્શન કોલેજના શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્‍યાપક ડો.મયુર પટેલે તેમજ મદદનીશ શ્રી રોહિત સિંગ દ્વારા પુરુ પાડયું હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવાબદલ કોલેજના આચાર્ય ડો.પુનમ બી. ચૌહાણે તથા ટ્રસ્‍ટીગણે દરેક વિજેતાઓનો તેમજ પ્રાધ્‍યાપકનો આભાર વ્‍યક્‍ત કરી ભવિષ્‍યમાં પણ વિજેતા થવા તેમજ કોલેજ અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

નવી લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પાસ કરી શુભ શરૂઆત કરતું ભાજપ

vartmanpravah

બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

દાનહ વન વિભાગ ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરશે

vartmanpravah

કપરાડા સુથારપાડા નજીક મુસાફરો ભરેલી જીપ ખાબકતા અકસ્‍માત : 6 ઈજાગ્રસ્‍ત પૈકી 2 વધુ ગંભીર

vartmanpravah

પિપરિયા પર હુમલો – 31 જુલાઈ સવારના સાત વાગ્‍યે હુમલો શરૂ થયો હતો ત્‍યારથી અત્‍યાર સુધી કોઈના પેટમાં અન્નનો એક દાણો પણ ગયો ન હતો

vartmanpravah

ટોરેન્‍ટ પાવરે સંઘપ્રદેશ પ્રશાસન સાથે કરેલા એગ્રીમેન્‍ટનો ભંગ કરતા વીજળી વિતરણનું કાર્ય પરત લઈ લેવા સંઘપ્રદેશના પ્રશાસકશ્રીને આદિવાસી એકતા પરિષદની અરજ

vartmanpravah

Leave a Comment