January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

આદિવાસી આગેવાનોએ જવાબદારો સામે એક્‍ટ્રોસિટી મુજબ
કાર્યવાહીની ફરિયાદ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ-નવસારી જિલ્લાના આદિવાસી સતત જાગૃત બની ગયા છે. ક્‍યારેય આદિવાસી સમાજ માટે અન્‍યાય સહન કરતા નહી. એકતા દર્શાવીને સતત ન્‍યાય માટે ઝઝુમી રહે છે. કંઈક તેવી ઘટના ઘેજ તા.ચીખલીમાં ઘટી હતી. એક આદિવાસી ઈસમને જાનથી મારી નાખવાની ધમકી તથા મર્ડર કરીશું તેવું કહેતા આ ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાત પડયા હતા. આજે આદિવાસી સમુદાયના આગેવાનો ખેરગામ પોલીસ સ્‍ટેશને ધસી ગયા હતા.
ઘેજમાં બનેલા બનાવ બાદ આદિવાસી આગોવનો મોટી સંખ્‍યા સાથે ખેરગામ પોલીસ સ્‍ટેશનમાં આજે ધસી ગયા હતા. ઘેજના બનાવ માટે ન્‍યાયની માંગણી કરી એક્‍ટ્રોસિટી એક્‍ટ હેઠળ ફરિયાદ કરવાની પી.એસ.આઈ.ને રજૂઆત કરી હતી. આદિવાસીઓ વિરોધી માનસિકતા ધરાવનાર ઈસમ સામે સખ્‍ત કાનુની કાર્યવાહી નહી થાય તો આવનારા દિવસોમાંઆખો આદિવાસી સમાજ ખેરગામ પોલીસ સ્‍ટેશન ખાતે ભેગો થશે તેવી ચીમકી પણ આદિવાસી આગેવાનો, કાર્યકરોએ ઉચ્‍ચારી હતી.

Related posts

176-ગણદેવી વિધાનસભામાં રાજકીય પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા પક્ષમાં જ હોબાળો : ઉમેદવાર બદલવા દાવ પેચ શરૂ

vartmanpravah

ટ્રક ડ્રાઈવરોના આંદોલનને લઈ વલસાડ જિલ્લામાં પેટ્રોલ પમ્‍પ ઉપર પેટ્રોલની ઉભી થયેલી અછત

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટ્રક ડ્રાઈવરોની સૂચિત હડતાળ મુદ્દે બેઠક મળી

vartmanpravah

રાજયના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના દેગામમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની શાળાની કંપાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત કરાયુ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી 60 દિવસ માટે ‘ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઈન 2.0’ની શરૂઆત

vartmanpravah

ભગવાન શ્રીકળષ્‍ણ વિશે આપત્તિજનક પોસ્‍ટ કરનારા ધરમપુર તાલુકાના તુંબી ગામના દંપતિ સામે કાર્યવાહી કરવા માંગ

vartmanpravah

Leave a Comment