Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

આદિવાસી આગેવાનોએ જવાબદારો સામે એક્‍ટ્રોસિટી મુજબ
કાર્યવાહીની ફરિયાદ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ-નવસારી જિલ્લાના આદિવાસી સતત જાગૃત બની ગયા છે. ક્‍યારેય આદિવાસી સમાજ માટે અન્‍યાય સહન કરતા નહી. એકતા દર્શાવીને સતત ન્‍યાય માટે ઝઝુમી રહે છે. કંઈક તેવી ઘટના ઘેજ તા.ચીખલીમાં ઘટી હતી. એક આદિવાસી ઈસમને જાનથી મારી નાખવાની ધમકી તથા મર્ડર કરીશું તેવું કહેતા આ ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાત પડયા હતા. આજે આદિવાસી સમુદાયના આગેવાનો ખેરગામ પોલીસ સ્‍ટેશને ધસી ગયા હતા.
ઘેજમાં બનેલા બનાવ બાદ આદિવાસી આગોવનો મોટી સંખ્‍યા સાથે ખેરગામ પોલીસ સ્‍ટેશનમાં આજે ધસી ગયા હતા. ઘેજના બનાવ માટે ન્‍યાયની માંગણી કરી એક્‍ટ્રોસિટી એક્‍ટ હેઠળ ફરિયાદ કરવાની પી.એસ.આઈ.ને રજૂઆત કરી હતી. આદિવાસીઓ વિરોધી માનસિકતા ધરાવનાર ઈસમ સામે સખ્‍ત કાનુની કાર્યવાહી નહી થાય તો આવનારા દિવસોમાંઆખો આદિવાસી સમાજ ખેરગામ પોલીસ સ્‍ટેશન ખાતે ભેગો થશે તેવી ચીમકી પણ આદિવાસી આગેવાનો, કાર્યકરોએ ઉચ્‍ચારી હતી.

Related posts

વાપીમાં કરાટે ટ્રેનિંગના 27 વર્ષ પૂર્ણ કરતા હાર્દિક જોશી, વાપીમાં થઈ ભવ્‍ય ઉજવણી

vartmanpravah

પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

vartmanpravah

દાનહના સુરંગી ગામે મહેસૂલ વિભાગ ખાનવેલ દ્વારા 26મી ફેબ્રુઆરીના શનિવારે શિબિર યોજાશે

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય દિવસ પર અનુરાગ સિંહ અને મનિષ ઝા દ્વારા વિશેષ સેમિનારનું સમાપન

vartmanpravah

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જી20 અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા એકાંકી નાટક યોજાયો

vartmanpravah

ઉમરગામ વિધાનસભા વિસ્‍તારના ડુંગરા ચણોદમાં વિકસિત ભારત કાર્યક્રમ અંગે મિટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment