આદિવાસી આગેવાનોએ જવાબદારો સામે એક્ટ્રોસિટી મુજબ
કાર્યવાહીની ફરિયાદ કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: વલસાડ-નવસારી જિલ્લાના આદિવાસી સતત જાગૃત બની ગયા છે. ક્યારેય આદિવાસી સમાજ માટે અન્યાય સહન કરતા નહી. એકતા દર્શાવીને સતત ન્યાય માટે ઝઝુમી રહે છે. કંઈક તેવી ઘટના ઘેજ તા.ચીખલીમાં ઘટી હતી. એક આદિવાસી ઈસમને જાનથી મારી નાખવાની ધમકી તથા મર્ડર કરીશું તેવું કહેતા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આજે આદિવાસી સમુદાયના આગેવાનો ખેરગામ પોલીસ સ્ટેશને ધસી ગયા હતા.
ઘેજમાં બનેલા બનાવ બાદ આદિવાસી આગોવનો મોટી સંખ્યા સાથે ખેરગામ પોલીસ સ્ટેશનમાં આજે ધસી ગયા હતા. ઘેજના બનાવ માટે ન્યાયની માંગણી કરી એક્ટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરવાની પી.એસ.આઈ.ને રજૂઆત કરી હતી. આદિવાસીઓ વિરોધી માનસિકતા ધરાવનાર ઈસમ સામે સખ્ત કાનુની કાર્યવાહી નહી થાય તો આવનારા દિવસોમાંઆખો આદિવાસી સમાજ ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે ભેગો થશે તેવી ચીમકી પણ આદિવાસી આગેવાનો, કાર્યકરોએ ઉચ્ચારી હતી.