Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ વિધાનસભા વિસ્‍તારના ડુંગરા ચણોદમાં વિકસિત ભારત કાર્યક્રમ અંગે મિટિંગ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: આજરોજ તા.8 ફેબ્રુઆરીને ગુરુવારે વાપી વિશ્રામ ગૃહ ખાતે 182 – ઉમરગાવ વિધાનસભા વિસ્‍તારમાં આવતા વાપી તાલુકાનાં ચણોદ ગામ, નોટીફાઈડ વાપી ચણોદ કોલોની, અને વાપી ન.પા.નાં વોર્ડ નં.5 અને 11 (ડુંગરા) વિસ્‍તારનાં કાર્યકરો સાથે તા.10 ફેબ્રુઆરીને શનિવારે સવારે 11 કલાકે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત ગુજરાતનાં 182 વિધાનસભા ક્ષેત્રમાં એકી સાથે વર્ચ્‍યુલ માધ્‍યમથી આપણા સૌના પથ પ્રદર્શક લોકપ્રિય પ્રધાન મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીનાં વરદ હસ્‍તે યોજાનાર કાર્યક્રમ અંગે કાર્યકરો સાથે 182 ઉમરગામ વિધાન સભા વિસ્‍તારનાં ઉમરગાવ તાલુકાનાં ધોડીપાડા મુકામે સાંસ્‍કળતિક હોલ ખાતે રાખવામાં આવેલ કાર્યકમનાં આયોજન અંગેની મિટિંગ ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરજીએ રાખેલ તેમાં કાર્યક્રમનાં આયોજનની માહિતી આપેલ અને સમગ્ર વિસ્‍તારમાંથી કાર્યકરોને કાર્યકમ સ્‍થળ પર લાવવા વિગેરેનું આયોજન કરવામાં આવેલ, જેમાં સમગ્ર વિસ્‍તારનાં ભાજપનાં અગ્રણીકાર્યકરો મહેશભાઈ ભટ્ટ, પરેશભાઈ દેસાઈ, દીપકભાઈ પટેલ, ગીતાબેન પટેલ, ભાવિકાબેન ઘોઘારી, અંબાલાલ બાબરીયા, અરવિંદભાઈ ઘોઘારી, અંકિત ત્રિપાઠી, ઉદયસિંહ ઘોરપડે, ભીમરાવ રુપનાર, મણિલાલભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, મિથુનભાઈ હળપતિ, દેવેન્‍દ્ર હળપતિ, રાજુભાઈ દેસાઈ, વનરાજભાઈ ગૌદાની, જીતેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, દિનેશભાઈ ગુંદ, કમલસિહ રાજપૂત અને અન્‍ય કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પ્રધાનમંત્રીએ લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી

vartmanpravah

રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેવાના હોવાથી મોરલ સપોર્ટ માટે વલસાડ જિલ્લામાંથી નિકળેલા કોંગ્રેસ કાર્યકરોને બગવાડા હાઈવે-કરમબેલામાં પોલીસે અટકાવ્‍યા

vartmanpravah

દૂધની ગ્રામ પંચાયતની ‘સબ કી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત મળેલી ગ્રામ સભા : વિવિધ વિકાસના કામો ઉપર મંજૂરીની મહોર

vartmanpravah

બીલીમોરા – ચીખલી સહિત ખેરગામ પંથકમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી માટે રંગબેરંગી કલરઅને પિચકારીઓનું વેચાણ શરૂ

vartmanpravah

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા 3જી મેના રોજ નાશિક-ગોદાવરી નદી કિનારે 1008 કુંડી શ્રીરામ યજ્ઞ કરાશે

vartmanpravah

Leave a Comment