October 22, 2025
Vartman Pravah
Blood Donation
વાપી

ધરમપુર નજીકમાં મૃગમાળ ગામે રેમ્બો વોરિયસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૬
ભારતીય સંસ્કૃતિની ઍ પરંપરા રહી છે કે, માનવ સેવાની સરવાણી વહાવવામાં ક્યારેય પાછી પાની કરેલ નથી, જ્યારે જ્યારે મદદ માટે કોઈઍ હાથ લંબાવ્યો છે તો હજારો હાથ મદદ કરવા લંબાયા છે. આપણે સૌ જાણીઍ છીઍ.
વલસાડ જિલ્લાના મૃગમાળની પ્રાથમિક શાળામાં રેમ્બો વોરિયસ ધરમપુર ગૃપની ટીમ ગામના યુવાનો અને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ અડોર ચેરીટસ મુંબઈ દ્વારા સ્વ.દિનેશભાઈ પટેલને શ્રધાંજલિ માટે ભારતીય સંસ્કૃતિની ઍ પરંપરા રહી છે કે, માનવ સેવાની સરવાણી વહાવવામાં ક્યારેય પાછી પાની કરેલ નથી, જ્યારે જ્યારે મદદ માટે કોઈ ઍ હાથ લંબાવ્યો છે તો હજારો હાથ મદદ કરવા લંબાયા છે. આપણે સૌ જાણીઍ છીઍ કે, લોહીની અવાર-નવાર જરૂર પડતી હોય છે, આવા સમયે રક્તદાતાઅોની નિઃસ્વાર્થ સેવાઅોને વંદન છે રેમ્બો વોરિયસની સેવાકીય પ્રવૃતિમાં અને રક્તદાન ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્નાં છે, રેમ્બો વોરિયસ દ્વારા થતા રક્તદાન કેમ્પમાં યુવાનોનો થનગનાટ અનેરો હોય છે, અને હા, બહેનોઍ પણ આ સેવા યજ્ઞમાં
ઘણુ જ યોગદાન આપ્યું છે. આપણે સૌ જાણીઍ છીઍ કે લોહીની ઉણપવાળા અને જરૂરિયાતવાળા દર્દીઓ કે જે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હોય તેમના માટે કટોકટીના સમયે, નિઃસ્વાર્થ ભાવે રક્તદાન કરનાર વ્યક્તિના લોહીનું ઍક-ઍક ટીપું કોઈના જીવન માટે મુલ્યવાન બની રહે છે. રક્તદાન માટે જાગરૂકતા લાવવાના સઘન પ્રયાસો અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે તેવા પ્રયત્નો કરી રહ્નાં છે.
રક્તદાન કેમ્પનું ધરમપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત રક્તદાતાઅોને જણાવ્યું કે, કોરોનામાં લોહીની અવાર-નવાર જરૂર પડતી હોય છે, આવા સમયે રક્તદાતાઅોની નિઃસ્વાર્થ સેવાઅોને રેમ્બો વોરિયર્સે કરી છે, રેમ્બો વોરિયર્સની સેવાકીય પ્રવૃતિમાં અને રક્તદાન ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્નાં છે, કોરોનામાં લોકોની જાગૃતિ વેક્સીન લેવા માટે અને વેક્સીનમાં બાકી રહેલા લોકોને સંસ્થા દ્વારા થતા રક્તદાન કેમ્પમાં યુવાનોનો સમાજમાં જાગૃતિ લાવવાનો અનુરોધ કર્યો હતો.
તાલુકા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ , શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા શિક્ષણ માટે ધરમપુર અને કપરાડામાં સેવા યજ્ઞમાં ઘણુ જ યોગદાન આપ્યું છે. આપણે સૌ જાણીઍ છીઍ. પ્રશસનિય કાર્યો બિરદાવ્યા હતા. શ્રી બી.ઍન.જાશીઍ પત્ર દ્વારા શ્રી દિનેશભાઈના આદિવાસી ક્ષેત્રમાં કરેલા કામોની શુભેચ્છાઅો પાઠવી હતી.
ઉપસ્થિત અનેક મહાનુભાવો દ્વારા રક્તદાન અને શ્રી દિનેશભાઈ સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા. કટોકટીના સમયે, નિઃસ્વાર્થ ભાવે રક્તદાન કરનાર વ્યક્તિના લોહીનું ઍક-ઍક ટીપું કોઈના જીવન માટે મૂલ્યવાન બની રહે છે. ઍ માટે જાગરૂકતા લાવવાના સઘન પ્રયાસો અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે તેવા પ્રયત્નો કરવા માટે શુભેચ્છાઅો પાઠવી હતી.
રેમ્બો વોરિયસ દ્વારા રક્તદાન કેમ્પમાં વિશિષ્ટ-૩ વ્યક્તિનું સન્માનિત કરવા આવે છે. તાલુકા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ દ્વારા ધોરણ-૮ ભણતી જિયા નિલેશભાઈ પટેલ ફપ્પ્લ્ની પરીક્ષામાં પાસ થઈ છે હવે ૧૦૦૦ રૂપિયા સરકાર દ્વારા સ્કોલરશીપ મળશે. શિક્ષક અનિલભાઈ ગરસિયા, સ્વ.દિનેશભાઈ અંગતમિત્ર હતા જેઅો ઍમ્બ્યુલન્સ ફ્રીમાં વ્યવસ્થા કરી આપતા અને જીયા નિલેશભાઈ પટેલને અભ્યાસ માટે ધોરણ-૧૨ સુધીમાં કોમ્પ્યુટર ચોપડા કોઈ જરૂરિયાત પૂરી પાડવાની જવાબદારી લીધી છે. નીલ કેવટ કોઈપણ વ્યક્તિને બ્લડની જરૂરિયાત પડે તો પોતે રક્તદાન માટે પહોîચી જાય છે.
શંકરભાઈ પટેલે જણાવ્યું કે, આપના સમાજમાં, આપના વિસ્તારમાં જ્યારે જ્યારે રક્તદાન શિબિર હોય ત્યારે આપના તરફથી મુલ્યવાન આપનું યોગદાન અતિ મુલ્યવાન બની રહેશે. રેમ્બો વોરિયસની વિનંતી દોસ્તો અમારી બે હાથ જાડીને આપને પ્રાર્થના છે કે, રક્તદાન અવશ્ય કરો, રક્તદાન કેમ્પમાં ર્ડા.બિપિન પટેલ, શ્રી યોગેશભાઈ પટેલ, બીનવાડા, શ્રી રજનીકાંતભાઈ, આરટીઅો, શ્રી મહેશભાઈ ગરાશિયા, શ્રી પાર્થિવભાઈ મહેતા, વાપી પુખરાજ અગ્રવાલ શ્રી બી.આર. ઈટનેશનલ ધરમપુર શ્રી હિતેશભાઈ પટેલ, શ્રી કેતનભાઈ પટેલ, શ્રી રાજેશભાઈ પટેલ, સરપંચ શ્રી મણિલાલ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ ઉપસ્થિત રહ્નાં હતા.

Related posts

વલસાડ જિલ્લાના કલેક્‍ટર નૈમેષ દવેએ સ્‍વામિનારાયણ નગરની મુલાકાત લીધી

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ ‘‘મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નાનાપોંઢા સીએચસી હેલ્‍થ સેન્‍ટરમાં આહાર કીટ અને પ્રોટીન પાવડરનું વિતરણ

vartmanpravah

વલસાડ જિલ્લાના મુખ્ય રસ્તા, બિલ્ડિંગની આગળ-પાછળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી-એક્ઝિટ પર સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ

vartmanpravah

ધરમપુર ઓઝર ગામે વિદ્યાર્થીએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ

vartmanpravah

Leave a Comment