January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઝાદીના અમૃત મહોત્‍સવની અનોખી ઉજવણી: દિલ્‍હીથી 34 રાજ્‍યોમાં ક્‍વીટ ઈન્‍ડિયાની થીમ હેઠળ નિકળેલ 10 મહિલા સહિત 7પ બાઈર્સનું પારડી-વલસાડમાં ભવ્‍ય સન્‍માન કરાયું

9 સપ્‍ટેમ્‍બરે દિલ્‍હીથી ગૃહમંત્રી અમિતભાઈ શાહે પ્રસ્‍થાન કરાવેલું: વિવિધ 34 રાજ્‍યોમાં ફરી બાઈકર્સ 24 નવેમ્‍બરે દિલ્‍હી પહોંચશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: આઝાદીનો અમૃત મહોત્‍સવની ઉજવણી દેશભરમાં અનેકવિધ કાર્યક્રમો થકી ચાલી રહી છે. તે અંતર્ગત વિવિધ રાજ્‍યના 7પ બાઈકર્સ દિલ્‍હીથી 34 રાજ્‍યોના આઈકોનિક પ્‍લેસની મુલાકાત લેતા આજે ગુરૂવારે વલસાડજિલ્લામાં પ્રવેશ થતાં પારડી અને વલસાડમાં તમામ બાઈકર્સનું ઉષ્‍માભર્યું સ્‍વાગત અને સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી માટે વિવિધ રાજ્‍યોના 7પ બાઈકર્સ જેમાં 10 મહિલા સહિતની ટીમ ભારતના 34 રાજ્‍યો અને સંઘપ્રદેશોમાં ફરીને કુલ 21 હજાર કિ.મી.નો પ્રવાસ પુરો કરશે. ગત સપ્‍ટેમ્‍બરના રોજ દિલ્‍હીથી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે 7પ બાઈકર્સને 7પ દિવસ માટે ભારત ભ્રમણ માટે પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. વિવિધ રાજ્‍યોમાંથી ફરી વિવિધ આઈકોનિક પ્‍લેસની મુલાકાત સાથે અનોખા દેશપ્રેમના પ્રચાર પ્રસાર બાઈકર્સો કરી રહ્યા છે.
આજે વલસાડ જિલ્લામાં પ્રવેશલ બાઈકર્સોનું પારડી હાઈવે ઉપર અને વલસાડમાં ગુંદલાવ સતનામ હોટલ પાસે શહેરની વિવિધ સંસ્‍થા અને અગ્રણીઓએ સન્‍માન કર્યું હતું. નોંધપાત્ર એ છે કે 7પ દિવસની આ યાત્રામાં 7પ બાઈકર્સ ટીમ 10 મહિલા પણ સામેલ છે જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ બિઝનેસ વુમ રચના વોરા કરી રહેલા છે. વલસાડથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ત્‍યાંથી એમ.પી. રાજસ્‍થાન થઈ બાકર્સ 24 નવેમ્‍બરે દિલ્‍હી પહોંચશે. સ્‍પોર્ટ્‌સ ઓથોરીટી અને સેનાના જવાનોનો સપોર્ટ થકી બાઈકર્સ તેમનો ટાર્ગેટ પુરો કરવા આગળ વધી રહ્યા છે.

Related posts

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા ખાતે વૈદિક પરંપરા અનુસાર લગ્નોત્સવ ઉજવાયો

vartmanpravah

વાપી આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં વાર્ષિક રમોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વલસાડ-ભિલાડ નેશનલ હાઈવે માટે પ્રબળ જનઆક્રોશ બાદ હાઈવે ઓથોરીટીએ ખાડાપુરાણ આરંભ્‍યું

vartmanpravah

ચીખલી માણેકપોરથી સુરખાઈ સુધી સ્‍ટેટ હાઇવે પર ઠેર-ઠેર તૂટેલી હાલતમાં ડીવાઈડર

vartmanpravah

વાપી એસ.ટી. ડેપોની મહિલા કન્‍ડક્‍ટરની પ્રમાણિકતા : ઘરેણાં ભરેલ થેલી મહિલાને પરત કરી

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

vartmanpravah

Leave a Comment