July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઝાદીના અમૃત મહોત્‍સવની અનોખી ઉજવણી: દિલ્‍હીથી 34 રાજ્‍યોમાં ક્‍વીટ ઈન્‍ડિયાની થીમ હેઠળ નિકળેલ 10 મહિલા સહિત 7પ બાઈર્સનું પારડી-વલસાડમાં ભવ્‍ય સન્‍માન કરાયું

9 સપ્‍ટેમ્‍બરે દિલ્‍હીથી ગૃહમંત્રી અમિતભાઈ શાહે પ્રસ્‍થાન કરાવેલું: વિવિધ 34 રાજ્‍યોમાં ફરી બાઈકર્સ 24 નવેમ્‍બરે દિલ્‍હી પહોંચશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: આઝાદીનો અમૃત મહોત્‍સવની ઉજવણી દેશભરમાં અનેકવિધ કાર્યક્રમો થકી ચાલી રહી છે. તે અંતર્ગત વિવિધ રાજ્‍યના 7પ બાઈકર્સ દિલ્‍હીથી 34 રાજ્‍યોના આઈકોનિક પ્‍લેસની મુલાકાત લેતા આજે ગુરૂવારે વલસાડજિલ્લામાં પ્રવેશ થતાં પારડી અને વલસાડમાં તમામ બાઈકર્સનું ઉષ્‍માભર્યું સ્‍વાગત અને સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી માટે વિવિધ રાજ્‍યોના 7પ બાઈકર્સ જેમાં 10 મહિલા સહિતની ટીમ ભારતના 34 રાજ્‍યો અને સંઘપ્રદેશોમાં ફરીને કુલ 21 હજાર કિ.મી.નો પ્રવાસ પુરો કરશે. ગત સપ્‍ટેમ્‍બરના રોજ દિલ્‍હીથી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે 7પ બાઈકર્સને 7પ દિવસ માટે ભારત ભ્રમણ માટે પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. વિવિધ રાજ્‍યોમાંથી ફરી વિવિધ આઈકોનિક પ્‍લેસની મુલાકાત સાથે અનોખા દેશપ્રેમના પ્રચાર પ્રસાર બાઈકર્સો કરી રહ્યા છે.
આજે વલસાડ જિલ્લામાં પ્રવેશલ બાઈકર્સોનું પારડી હાઈવે ઉપર અને વલસાડમાં ગુંદલાવ સતનામ હોટલ પાસે શહેરની વિવિધ સંસ્‍થા અને અગ્રણીઓએ સન્‍માન કર્યું હતું. નોંધપાત્ર એ છે કે 7પ દિવસની આ યાત્રામાં 7પ બાઈકર્સ ટીમ 10 મહિલા પણ સામેલ છે જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ બિઝનેસ વુમ રચના વોરા કરી રહેલા છે. વલસાડથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ત્‍યાંથી એમ.પી. રાજસ્‍થાન થઈ બાકર્સ 24 નવેમ્‍બરે દિલ્‍હી પહોંચશે. સ્‍પોર્ટ્‌સ ઓથોરીટી અને સેનાના જવાનોનો સપોર્ટ થકી બાઈકર્સ તેમનો ટાર્ગેટ પુરો કરવા આગળ વધી રહ્યા છે.

Related posts

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

દાનહઃ ખાનવેલના મામલતદારે ગેરકાયદેસર રીતે ઘઉંનો જથ્‍થો ભરેલ બે ટેમ્‍પોને ઝડપી પાડયા

vartmanpravah

મહારાષ્ટ્રમાં સંક્રમણ અોછું થતા વાપી ડેપોઍ મુંબઈની ચાર ટ્રીપ શરૂ કરી

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

દમણમાં આંતર શાળાકીય રમતગમત સ્‍પર્ધાનો થયેલો પ્રારંભ

vartmanpravah

ધરમપુર વનરાજ કોલેજમાં તમાકુ નિષેધ રેલી નીકળી

vartmanpravah

Leave a Comment