January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

ઓરવાડમાં વીજ કરંટ લાગતા દિવાલ પરથી નીચે પટકાયેલા સુખેશના શ્રમિકનું કરુણ મોત

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.22: પારડી તાલુકાના સુખેશ વાણીયા ફળિયા ખાતે રહેતા અને સેન્‍ટીંગનું કામ કરતા ગિરીશભાઈ નશવંતભાઈ પટેલ ઉંમર 47 શુક્રવારના રોજ પારડીના ઓરવાડ ગામે નીલકંઠ નગરમાં કંમ્‍પાઉન્‍ડ દિવાલનું કામ કરવા માટે આવ્‍યા હતા. કંમ્‍પાઉન્‍ડ દિવાલનું કામ પૂર્ણ કરી તેઓ દિવાલ ઉપર ચઢી દિવાલ પર લાગેલા ફાલકા ઉતારી રહ્યા હતા તે દરમિયાન અજાણતા દિવાલ ઉપરથી પસાર થતો વીજ લાઈનના તારમાં ગીરીશભાઈનો હાથ અડી જતા વીજ કરંટ લાગતા તેઓ જોરદાર ઝટકા સાથે દીવાલ ઉપરથી સાતથી આઠ ફૂટ નીચે પટકાયા હતા. જેમને તાત્‍કાલિક સારવાર માટે પારડી કુરેશી હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓનું કરુણ મોત થયું હતું.બનાવની જાણ પારડી પોલીસને કરાતા પારડી પોલીસ લાશનો કબીજો લઈ પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગીરીશભાઈનું વીજ કરંટથી મોત થયું હોવાના સમાચાર મળતા જ એમના ગામ સુખેશના મોટી સંખ્‍યામાં લોકો સરકારી હોસ્‍પિટલ દોડી આવ્‍યા હતા.

Related posts

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લાનીતમામ અદાલતોમાં તા.14 ડિસેમ્‍બરે નેશનલ લોક અદાલત યોજાશે

vartmanpravah

અબ્રામાથી વાપી આલોક કંપનીના કર્મચારીઓ ભરેલી બસને વલસાડ હાઈવે ઉપર નડેલો અકસ્‍માત

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટસીટી લિમિટેડ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં વરસાદી પાણી સીઈટીપીની ચેમ્‍બરોમાં ઘૂસી જતા પ્રદૂષિત પાણી રોડો ઉપર

vartmanpravah

પાંચ વર્ષ પહેલાં દમણની ધરતી ઉપર પધારેલા રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય પ.પૂ.આચાર્યદેવ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના પુનિત પગલાંથી પ્રદેશનો થયો છે સર્વાંગી વિકાસ

vartmanpravah

Leave a Comment