September 12, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 ડાહ્યાભાઈના પ્રથમ સાંસદ કાળમાં દમણ-દીવની રાજનીતિમાં કેતન પટેલ અને વિશાલ ટંડેલની યુવા બ્રિગેડે ઉભો કરેલો દબદબો

28મી ઓગસ્‍ટ, 2003ની ગોઝારી પુલ દુર્ઘટના પણ ડાહ્યાભાઈ પટેલના સાંસદ કાળમાં જ બની હતી અને નવા પુલનું ખાતમુહૂર્ત પણ નંખાયું હતું

સાંસદ તરીકે ચૂંટાયાના માંડ બે મહિનામાં ભારત સરકારના ગૃહ મંત્રાલયમાંથી દમણ-દીવની મુક્‍તિના પ્રદેશ સ્‍તરના સમારંભમાં પ્રશાસકશ્રીની સાથે સંબોધનની પરવાનગી મેળવવા પણ સફળ રહ્યા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : 1999ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલના વિજય સાથે દમણ અને દીવમાં કોળી પટેલ સમાજના મજબૂત પાયાની શરૂઆત થઈ હતી. માછી સમાજના પ્રભુત્‍વ ઉપર ચાલતા ભારતીય જનતા પાર્ટીના દમણ અને દીવ સંગઠનના પાયા પણ ધીરે ધીરે ધ્‍વંસ્‍ત થવા લાગ્‍યા હતા.
1999થી 2004ના સમયગાળા દરમિયાન યુવા નેતા તરીકે શ્રી કેતનભાઈ પટેલ અને શ્રી વિશાલભાઈ ટંડેલ સમગ્ર દમણ અને દીવમાં છવાઈ ગયા હતા. 1999ના ઓક્‍ટોબરમાં શ્રી ડાહ્યાભાઈ પટેલ સાંસદ તરીકે ચૂંટાયા બાદ દમણ અને દીવના ઇતિહાસમાં પહેલી વખત 19મી ડિસેમ્‍બર, 1999ના દમણ અને દીવના મુક્‍તિ દિવસના પ્રદેશસ્‍તરના સમારંભમાં પ્રશાસકશ્રીની સાથે સમારંભને સંબોધવાની તક પ્રાપ્ત કરી હતી.
કેન્‍દ્રમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્‍વમાં ભાજપ સરકાર હોવા છતાં કોંગ્રેસના સાંસદ તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલે 19મી ડિસેમ્‍બરના મુક્‍તિ દિવસના પ્રદેશ સ્‍તરના કાર્યક્રમમાં ગૃહ મંત્રાલયની મંજુરીથી સંબોધન કરવાની તક પ્રાપ્ત કરી હતી. આ પ્રકારની પરંપરાનો લાભ ફક્‍ત દાદરા નગર હવેલીના મુક્‍તિ દિવસના કાર્યક્રમમાં 2 ઓગસ્‍ટે તત્‍કાલિન સાંસદ શ્રી મોહનભાઈ ડેલકર જ ભોગવતા હતા. 1999 સુધી દમણ અને દીવના કોઈપણ સાંસદે મુક્‍તિ દિવસના કાર્યક્રમમાં બોલવાની તક ઝડપી નહીં હતી.
કેન્‍દ્રમાં ભાજપનું શાસન હોવા છતાં શ્રી ડાહ્યાભાઈ પટેલ દમણ અને દીવમાં વિકાસના કામો કરાવવા તથા પોતાનો મોભો અને વટ જાળવી રાખવા સફળ રહ્યા હતા.
શ્રી ડાહ્યાભાઈ પટેલના સાંસદ કાળમાં 28મી ઓગસ્‍ટ, 2003ના રોજ ગોઝારી પુલ દુર્ઘટનામાં 28 માસૂમ વિદ્યાર્થીઓ, 1 શિક્ષક અને રાહદારી મળી કુલ 30 વ્‍યક્‍તિઓના મોત થયા હતા. સમગ્ર દમણ શોકમગ્ન બન્‍યું હતું. પુલ દુર્ઘટનાના કારણે નાની અને મોટી દમણ વચ્‍ચે વ્‍યવહાર પણ ઠપ્‍પ થયો હતો. કચીગામ કોઝવે ઉપર પણ વરસાદમાં પાણી ફરી વળતાં નાની અને મોટી દમણ સંપર્ક વિહોણાં બની જતાં હતા.
ભાજપ સરકારના તત્‍કાલિન કેન્‍દ્રિય ગૃહ રાજ્‍યમંત્રી શ્રી હરિનભાઈપાઠકે 28મી જાન્‍યુઆરી, 2004ના રોજ હાલના રાજીવ ગાંધી સેતૂનું ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત સાંસદ શ્રી ડાહ્યાભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કર્યું હતું અને 2004ની લોકસભાની સામાન્‍ય ચૂંટણીના પડઘમ પણ શરૂ થયા હતા. (ક્રમશઃ)

Related posts

તા.૧૬મીએ વલસાડ જિલ્લા વાનપ્રસ્‍થ નાગરિક પરિષદની વાર્ષિક સાધારણ સભા યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાની બે ખેલાડી હોકીની નેશનલ ચેમ્‍પિયનશીપમાં ભાગ લેશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

vartmanpravah

આજે દાનહ ભાજપ મહિલા મોર્ચા દ્વારા મેડિકલ કેમ્‍પ યોજાશે

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર મિત્રતા કેળવી પારડીના યુવકે વલસાડની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી, પી.બી.એસ.સી.એ જીવન બચાવ્‍યું

vartmanpravah

ધરમપુરમાં સારંગપુર દાદાનો રથ આવી વિદાય થયા બાદ હનુમાન દાદા મંદિરની મૂર્તિમાં આંસુ દેખાતા લોકો ભાવવિભોર

vartmanpravah

Leave a Comment