Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

લોકસભા ચૂંટણીના આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં રૂા.67300ની રોકડ અને રૂા.36,220ની કિંમતનો દારૂ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના ભાગરૂપે સંઘપ્રદેશ ચૂંટણી વિભાગ દ્વારા તત્‍પરતા સાથે નજર રાખવા વિવિધ સ્‍થળોએ ફલાઈંગ સ્‍કવોર્ડ સહિતની સર્વેલન્‍સ ટીમોની તૈનાતી કરવામાં આવી છે. આગામી તા.7મી મે, 2024ના રોજ ગુજરાત સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મતદાન થવાનું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં સતર્કતાના ભાગરૂપે કોઈપણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ જેમાં રોકડ અને દારૂ-બિયરની તસ્‍કરી તથા ચૂંટણીના સમયે તેના વિતરણ ઉપર રોક લગાવવા માટે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા તા.5મી એપ્રિલ, 2024થી સ્‍ટેટિક મોનિટરીંગ ટીમો(એસ.એસ.ટી.) પણ જુદા જુદા ચેકપોસ્‍ટ અને અન્‍ય સ્‍થળોએ તૈનાત કરવામાં આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા નિષ્‍પક્ષ, પારદર્શક, મુક્‍ત, ન્‍યાયી અને તટસ્‍થ ચૂંટણી યોજાય તેમજ નિヘતિ કરાયેલા નીતિ-નિયમોનું ઉલ્લંઘન નહીં થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક અઠવાડિયામાં ફલાઈંગ સ્‍કવોર્ડ, સર્વેલન્‍સ ટીમ દ્વારા વિવિધસ્‍થળોએ સઘન ચેકિંગ દરમિયાન 36,220 રૂપિયાની કિંમતનો 156.62 લીટર દારૂ પકડી તેને જપ્ત કર્યો હતો. એજ પ્રમાણે વિવિધ સ્‍થળોએથી તપાસ દરમિયાન રૂા.67300 રોકડા પણ જપ્ત કરવામાં આવ્‍યા છે.
16મી માર્ચના ચૂંટણીની જાહેરાત થઈ ત્‍યારથી અત્‍યાર સુધી વિવિધ જગ્‍યાએથી તપાસ દરમિયાન લગભગ 35.24 લાખની રોકડ અને લગભગ 16.84લાખનો દારૂ જપ્ત કરાયો છે. દમણ જિલ્લા પ્રશાસને આ બાબતે સખત પગલાં ભરતાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદો નોંધી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આદર્શ આચાર સંહિતા દરમિયાન સમગ્ર જિલ્લામાં 50 હજાર રૂપિયાથી વધુ રકમ અને 10 હજાર રૂપિયાથી વધુનો નવો સામાન લઈ જવાની પરવાનગી આપવામાં આવેલ નથી. તેથી લોકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેઓ ચૂંટણી સમય દરમિયાન આદર્શ આચારસંહિતાના નક્કી કરાયેલા નીતિ-નિયમોનું પાલન કરે અને તેમની પ્રવૃત્તિઓને ગેરકાનૂની રીતે ન કરે.

Related posts

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં ચાલતી ટ્રેનમાં જુગાર રમતા સાત જુગારીયા ઝડપાયા : સ્‍ટેટ મોનિટરિંગ સેલનો સપાટો

vartmanpravah

સંદર્ભઃ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનું ખાનગીકરણ_ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના દરેક નિર્ણયમાં દાનહ અને દમણ-દીવનું વિશાળ હિત સંકળાયેલું રહે છે ત્‍યારે…

vartmanpravah

દમણના સરલ પ્રજાપતિની એનસીએ અંડર-23 હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે પસંદગી

vartmanpravah

દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે પશ્ચિમ બંગાળના સ્‍થાપના દિવસની આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

આઝાદીના 75 વર્ષ બાદ પણ કપરાડાના લીખવડ ગામની 2000ની વસતિને આજદિન સુધી રસ્‍તાની સુવિધા મળી શકી નથી

vartmanpravah

Leave a Comment