Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા ગામના ઉદ્યોગપતિ ગુમ થતાં ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીના દાદરા ગામે રહેતા અને કંપનીના સંચાલક પોતાના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના નીકળી ગયા હતા જેઓને પરિવારના સભ્‍યો દ્વારા શોધખોળ કર્યા બાદ પણ નહીં મળી આવતા દાદરા પોલીસ સ્‍ટેશનમાં ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર મિનેશ ચંદ્રકાંત ઠક્કર (ઉ.વ.60) હાલ રહેવાસી પાલી કોર્નર, દાદરા. મુળ રહેવાસી ઓવેસીસ રોયલ, થાણા વેસ્‍ટ. જેઓ એમના પુત્ર સાથે દાદરામા કંપની ચલાવે છે અને અવર જવર માટે ગાડીનો ઉપયોગ કરે છે. જેઓ 27 એપ્રિલના રોજ કંપનીમાંથી ડ્રાઇવરને લેવા માટે બોલાવવાની જગ્‍યાએ રિક્ષામા બેસી નીકળી ગયા હતા. પરંતુ કંપની પર નહીં પહોંચતા એમના પુત્રએ ડ્રાઇવરને પૂછતા જણાવ્‍યું કે આજે મને લેવા જવા માટે સાહેબનો કોઈ જ ફોન આવ્‍યો ન હતો. ત્‍યારબાદ મિનેશભાઈની આજુબાજુમાં તેમજ સગાવાળાને ત્‍યાં પણ તપાસ કરેલ પણ મળી આવેલ નહિ જેથી એમના પુત્રએ દાદરા પોલીસ સ્‍ટેશનમા ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. મિનેશભાઈ અંગ્રેજી, મરાઠી, હીન્‍દી, કચ્‍છી અને ગુજરાતી ભાષા જાણે છે. એમણે લાલ અને ભૂરા કલરનું હાફ બાઇનું શર્ટ અને કાળા કલરનુ ટ્રાઉઝર પહેરેલ છે. મિનેશભાઈ અંગેકોઈને કોઈપણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ કંટ્રોલ રૂમ અથવા દાદરા આઉટપોસ્‍ટનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

વાપીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 156 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાપર્ણ અને ભૂમિપૂજન કરાયું

vartmanpravah

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

vartmanpravah

મહેસાણાથી પારડી મામાને ત્‍યાં આવેલ સગીરા ભાણેજ ગુમ, મામાએ નોંધાવી અપહરણની ફરિયાદ

vartmanpravah

વાપીના યુવાન બિલ્‍ડરની પાર નદીમાં મોતની છલાંગ

vartmanpravah

બિલિમોરાની ‘નારી સેના’ દ્વારા બામણવેલ વિદ્યાલયમાં સ્‍વેટર વિતરણ કરાયI

vartmanpravah

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment