રેલીમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોઃ ઈવીઍમમાં પંજાના નિશાન ઉપર બટન દબાવી કોંગ્રેસને મત આપી કેતનભાઈ પટેલને જંગી બહુમતિથી વિજયી બનાવવા લોકોને અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ,તા.30 : લોકસભાની દમણ અને દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલના સર્મથમાં આજે દીવ જિલ્લાના બંદર ચોક ખાતેથી સ્વયં કેતનભાઈ પટેલે ભવ્ય રેલી કાઢી હતી જેમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દીવના બંદર ચોકથી લોકસભાની દમણ-દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે ચૂંટણી પ્રચાર માટે ભવ્ય રેલી યોજી હતી. આ રેલીમાં દીવ જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.આ પ્રસંગે શ્રી કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે જનમેદનીને સંબોધતા ભાજપ અને સંઘપ્રદેશ પ્રશાસન ઉપર આકરા પ્રહારો કર્યા હતા. શ્રી કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે, દીવના લોકો અનેક સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા છે, તેથી તેમના પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્રમાં કોંગ્રેસ-ઈન્ડી પાર્ટીની સરકાર બિરાજમાન થાય તે માટે દમણ-દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલને જંગી બહુમતિથી જીતાડવા અપીલ કરી હતી. આ રેલીમાં શ્રી કેતનભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી અમીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસને મત આપવા લોકોને જણાવ્યું હતું.