March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ફાયર અને ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા ઓનલાઇન ફાયર એન.ઓ.સી. મેળવવા માટેની આપવામાં આવેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફાયર અને ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ ઓનલાઇન ફાયર એન.ઓ.સી. આપવાનું શરૂ કરવામાં આવ્‍યું છે. કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે પ્રદેશના ઉદ્યોગપતિઓ, હોટલ સંચાલકો, શાળા સંચાલકો, બિલ્‍ડરો, હોસ્‍પિટલરો અને વ્‍યવસાયકો જેઓને ફાયર એન.ઓ.સી.ની જરૂરિયાત હોય તેઓ માટે ઓનલાઇન પ્રક્રિયા અંગે તાલીમ આપવામાં આવી હતી અને અધિકારીઓ દ્વારા ઉપસ્‍થિત દરેકને ઓનલાઇન પ્રક્રિયા તેમજ સરકારી પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી. પ્રદેશના વ્‍યવસાયિકો www.fes.ddd.gov.in પર જઈને ફાયર એન.ઓ.સી. ઓનલાઇન મેળવી શકશે અને એનઓસી રીન્‍યુ કરાવવા માટે પણ ઓનલાઇન અરજી કરી શકાશે. આ અવસરે આસિસ્‍ટન્‍ટ ડિવિઝનલ ફાયર સેફટી અધિકારી શ્રી એ.કે.વાલા, આઇ.ટી. અધિકારી, ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના પદાધિકારીઓ, હોટલ ઉદ્યોગના સંચાલકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી નવસારીના વાંસી- બોરસી ખાતે પીએમ મિત્ર પાર્કનું ખાત મુહૂર્ત કરશે

vartmanpravah

વલસાડમાં ઔરંગા નદીમાં ગણેશજીની વિસર્જીત મૂર્તિઓ દુર્દશાગ્રસ્‍ત : માટીનીમૂર્તિના અભાવે ઉભી થયેલી સ્‍થિતિ

vartmanpravah

શરૂઆતમાં પોર્ટુગીઝ સરકારે પેશવા સરકાર દ્વારા નિમાયેલા દલાલો મારફતે જ કર વસૂલાત ચાલુ રાખી હતી

vartmanpravah

વાપી-વલસાડથી કુંભ મેળા માટે પશ્ચિમ રેલવે દ્વારા સ્‍પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવશે

vartmanpravah

પ્રદેશની સળગતી સમસ્‍યા, દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં દાનહ અને દમણ-દીવ ખાતે ભારત સરકારની ‘‘આયુષ્‍માન ભારત” યોજના બંધ હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

ખેરગામ તાલુકામાં રૂા.1025લાખના ખર્ચે રસ્‍તાઓ અને મકાનોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

vartmanpravah

Leave a Comment