June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ફાયર અને ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા ઓનલાઇન ફાયર એન.ઓ.સી. મેળવવા માટેની આપવામાં આવેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફાયર અને ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ ઓનલાઇન ફાયર એન.ઓ.સી. આપવાનું શરૂ કરવામાં આવ્‍યું છે. કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે પ્રદેશના ઉદ્યોગપતિઓ, હોટલ સંચાલકો, શાળા સંચાલકો, બિલ્‍ડરો, હોસ્‍પિટલરો અને વ્‍યવસાયકો જેઓને ફાયર એન.ઓ.સી.ની જરૂરિયાત હોય તેઓ માટે ઓનલાઇન પ્રક્રિયા અંગે તાલીમ આપવામાં આવી હતી અને અધિકારીઓ દ્વારા ઉપસ્‍થિત દરેકને ઓનલાઇન પ્રક્રિયા તેમજ સરકારી પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી. પ્રદેશના વ્‍યવસાયિકો www.fes.ddd.gov.in પર જઈને ફાયર એન.ઓ.સી. ઓનલાઇન મેળવી શકશે અને એનઓસી રીન્‍યુ કરાવવા માટે પણ ઓનલાઇન અરજી કરી શકાશે. આ અવસરે આસિસ્‍ટન્‍ટ ડિવિઝનલ ફાયર સેફટી અધિકારી શ્રી એ.કે.વાલા, આઇ.ટી. અધિકારી, ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના પદાધિકારીઓ, હોટલ ઉદ્યોગના સંચાલકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી વંકાલમાં સિંચાઈ વિભાગ દ્વારા માઈનોર કેનાલ અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ફેલાયેલી આનંદણી લાગણી

vartmanpravah

વાપી સલવાવ હાઈવે ઓવરબ્રિજ પાસે લક્‍ઝરી બસમાં દારૂના જથ્‍થા સાથે એક ઝડપાયો

vartmanpravah

વલસાડ એસ.ટી. વિભાગ દ્વારા ‘‘સ્‍વભાવ સ્‍વચ્‍છતા, સંસ્‍કાર સ્‍વચ્‍છતા” થીમ સાથે હાથ ધરાયું સફાઈ અભિયાન

vartmanpravah

સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્‍યવહાર ખોરવાયો

vartmanpravah

ઉચ્‍ચત્તર માધ્‍યમિક ગુજરાત બોર્ડનું દાદરા નગર હવેલીનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 57.14 ટકા

vartmanpravah

અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment