Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ભક્‍તિસેતુ હવેલી દ્વારા રામકથા સપ્તાહનું આયોજન

હવેલીના પ.પૂ.પાદ 108 શ્રીગોવિંદરાયના માર્ગદર્શન હેઠળ આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપી છરવાડા રોડ નજીક આવેલ ભક્‍તિસેતુ હવેલી દ્વારા રામકથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા.25 એપ્રિલથી શરૂ થયેલી સપ્તાહ 3 મે સુધી ચાલનાર છે. દરરોજ હજારો ભાવિકો દરરોજ રામકથા સપ્તાહનો લાભ લઈ રહ્યા છે.
ભક્‍તિસેતુ હવેલીના પ.પૂ.પાદ-108 શ્રી ગોવિંદરાયના માર્ગદર્શન હેઠળ સપ્તાહ યોજાઈ છે. વ્‍યાસપીઠ ઉપર શાષાી આચાર્ય મનીષકૃષ્‍ણ ચતુર્વેદ મથુરા બીરાજમાન થઈને કથા રસપાન કરાવી રહ્યા છે. શ્રી રામકથા બપોરે 3 થી સાંજે 7 વાગ્‍યા દરમિયાન ચાલે છે. કથાના 5મા દિવસે લોકો મોટી સંખ્‍યામાં ઉમટયા હતા. ગુજરાતને જાણીતા હાસ્‍ય કલાકાર પદ્મશ્રી ડો.જગદિશ ત્રિવેદીનો રામદરબારમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહી મનોરંજન માણ્‍યું હતું.

Related posts

વલસાડ પારડી ખાતે ‘‘પા પા પગલી” પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથેનો સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

ચીખલી એપીએમસીમાં લાભ પાંચમથી ચીકુની હરાજીનો પ્રારંભ

vartmanpravah

સુરખાઈ ખાતે સમસ્‍ત ઢોડિયા સમાજ યુવક-યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

દીવ ખાતે G-20 સમિતિના પ્રતિનિધિઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

પારડીના કીકરલા ગામથી છોટા હાથી ટેમ્‍પો ચોરાયો

vartmanpravah

Leave a Comment