April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સાથે વલસાડ-ડાંગના સાંસદ અને ધારાસભ્‍યોએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જોડે પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની આગેવાનીમાં વલસાડ, ઉમરગામના ધારાસભ્‍યોએ શુભેચ્‍છા મુલાકાત કરી માર્ગદર્શન મેળવ્‍યું હતું.
દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીને હાલે ચાલી રહેલા શિયાળા સત્ર દરમ્‍યાન દિલ્‍હી પ્રધાનમંત્રીકાર્યાલય ખાતે લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની આગેવાનીમાં વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, કપરાડાના પૂર્વ ધારાસભ્‍ય શ્રી માધુભાઈ રાઉત એ શુભેચ્‍છા મુલાકાત કરી પ્રધાનમંત્રીજી પાસે માર્ગદર્શન મેળવ્‍યું હતું. આ તબક્કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીએ ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી તરીકે તેમના કાર્યકાળ દરમિયાન ધારાસભ્‍યશ્રીએ કરેલા કાર્યોના જુના સંસ્‍મરણો યાદ કરી વર્તમાન સમયમાં સાંસદશ્રી અને જિલ્લાના તમામ ધારાસભ્‍યશ્રીઓની કામગીરીને બિરદાવ્‍યા હતા, તેમજ જિલ્લા ભાજપ ભાજપ સંગઠનની કામગીરીને બિરદાવી હતી.

Related posts

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ સફાઈ દિવસ નિમિત્તે દીવના ગોમતીમાતા બીચની કરાયેલી સાફ-સફાઈ: કુલ 129 કિલોગ્રામ જેટલો ઘન કચરો એકત્ર કરાયો

vartmanpravah

દાનહ ભાજપ નરોલી મંડળના પ્રમુખ યોગેશસિંહ સોલંકીએ પ્રશાસક સમક્ષ ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે કરેલી માંગણી

vartmanpravah

ચીખલીના ઘેજ ગામના મોટા ડુંભરીયામાં ડ્રેનેજ વિભાગ દ્વારા બોક્ષ કલવર્ટના એપ્રોચનું કામ પૂર્ણ ન કરાતા ચોમાસામાં માર્ગ પરનો વાહન વ્‍યવહાર બંધ થવાની દહેશત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર એક જ દિવસમાં બે ટેમ્‍પા બે જગ્‍યાએ પલટી મારતા હાઈવે ટ્રાફિક જામ

vartmanpravah

સરીગામ પંચાયતે પ્રિમોન્‍સૂન કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

Leave a Comment