December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સાથે વલસાડ-ડાંગના સાંસદ અને ધારાસભ્‍યોએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જોડે પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની આગેવાનીમાં વલસાડ, ઉમરગામના ધારાસભ્‍યોએ શુભેચ્‍છા મુલાકાત કરી માર્ગદર્શન મેળવ્‍યું હતું.
દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીને હાલે ચાલી રહેલા શિયાળા સત્ર દરમ્‍યાન દિલ્‍હી પ્રધાનમંત્રીકાર્યાલય ખાતે લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની આગેવાનીમાં વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, કપરાડાના પૂર્વ ધારાસભ્‍ય શ્રી માધુભાઈ રાઉત એ શુભેચ્‍છા મુલાકાત કરી પ્રધાનમંત્રીજી પાસે માર્ગદર્શન મેળવ્‍યું હતું. આ તબક્કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીએ ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી તરીકે તેમના કાર્યકાળ દરમિયાન ધારાસભ્‍યશ્રીએ કરેલા કાર્યોના જુના સંસ્‍મરણો યાદ કરી વર્તમાન સમયમાં સાંસદશ્રી અને જિલ્લાના તમામ ધારાસભ્‍યશ્રીઓની કામગીરીને બિરદાવ્‍યા હતા, તેમજ જિલ્લા ભાજપ ભાજપ સંગઠનની કામગીરીને બિરદાવી હતી.

Related posts

કપરાડાના ધામણ મેઘાણ ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તામંડળ સચિવ એસ.એમ.ભોંસલેના માર્ગદર્શનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડા ગ્રા.પં. વિસ્‍તારમાં કંપનીઓ દ્વારા નદીમાં કેમિકલયુક્‍ત પાણી છોડાતા માછલીઓના નિપજેલા મોત

vartmanpravah

વાપી બલીઠાથી નવા રેલવે ફાટક સુધી શિરોવેદના જેવી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

શહીદ દિવસ નિમિત્તે ધરમપુર આર.એસ.એસ. આયોજિત રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્તા એકત્રિત થયું

vartmanpravah

સમગ્ર સેલવાસ ભાજપમય બન્‍યું: બુલંદ બનેલો વિજયનો વિશ્વાસ દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરે પ્રચંડ રોડ શૉ સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

Leave a Comment