April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણની સાર્વજનિક શાળામાં ‘કિશોરાવસ્‍થાની સમસ્‍યાઓ અને ઉકેલો’ વિષય પર સેમિનાર યોજાયો

તજજ્ઞ ડૉ. જીત નાડપારેએ કિશોરાવસ્‍થામાં ક્રોધને કાબૂમાં રાખવાની રીતો, વધુ પડતી વિચારવાની વૃત્તિ, પરીક્ષામાં સારા માર્ક્‍સ મેળવવાની રીતો, 1-2-7 વાચન પ્રક્રિયા અને શિક્ષણ પ્રત્‍યેની રુચિ જેવા વિષયો પર વિદ્યાર્થીઓને આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણની સાર્વજનિક શાળામાં ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે ‘કિશોરાવસ્‍થાની સમસ્‍યાઓ અને ઉકેલો’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સંસ્‍થાના અધ્‍યક્ષ શ્રી જીજ્ઞેશ જોગીની અધ્‍યક્ષતામાં અને આચાર્ય શ્રી દીપક મિષાીના માર્ગદર્શન હેઠળ કિશોરાવસ્‍થાના તજજ્ઞ ડૉ. જીત નાડપારે પ્‍.ઝ. (ફફૂયશ્વંષ્ટતક્કણૂર્ત્ર્શીદ્દશ્વક્ક)એ કિશોરાવસ્‍થામાં અનુભવાતી વિવિધ સમસ્‍યાઓનું વર્ણન કર્યુ હતું અને વિદ્યાર્થીઓને તેના નિરાકરણ માટેની અગત્‍યની બાબતોથીવાકેફ કર્યા હતા.
આ સેમિનારમાં ડૉ. જીત નાડપારેએ વિદ્યાર્થીઓને માનસિક સ્‍વાસ્‍થ્‍યની જરૂરિયાત, ક્રોધને કાબૂમાં રાખવાની રીતો, વધુ પડતી વિચારવાની વૃત્તિ, પરીક્ષામાં સારા માર્ક્‍સ મેળવવાની રીતો, 1-2-7 વાંચન પ્રક્રિયા અને શિક્ષણ પ્રત્‍યેની રુચિ જેવા વિષયો પર ચર્ચા કરતા બાળકોને તેમના ધ્‍યેય સામે રાખીને તેમની રુચિ મુજબ યોગ્‍ય દિશામાં આગળ વધવા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ડૉ. જીત નાદપારેએ વિદ્યાર્થીઓ દ્વારા મિત્રતા, પ્રેમ, કરુણા, ક્રોધ, નિરાશા, જાતિના આવેગ વગેરે વિષયો પર પૂછાયેલા વિવિધ પ્રશ્નોના સંપૂર્ણ અને વિગતવાર જવાબ આપ્‍યા હતા અને વિદ્યાર્થીઓને મહત્ત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપ્‍યું હતું.
સંસ્‍થાના અધ્‍યક્ષ શ્રી જીજ્ઞેશ જોગીએ આ સેમિનારનું મહત્ત્વ સમજાવતા અને વિદ્યાર્થીઓને તેની જરૂરિયાતોથી વાકેફ કરતાં જણાવ્‍યું હતું કે ‘શિક્ષણની સાથે જીવનના તમામ ક્ષેત્રોમાં આગળ વધવા માટે સારા શારીરિક સ્‍વાસ્‍થ્‍યની સાથે સારા માનસિક સ્‍વાસ્‍થ્‍યની પણ જરૂર છે.’
આ સેમિનારમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્‍ટાફે ભાગ લીધો હતો અને શ્રીમતી અનુપમા ત્રિપાઠીએ નિષ્‍ણાત ડૉ. જીત નાદપારેનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી પૂર્વી એસ. ઠાકરે કર્યુંહતું.

Related posts

વલસાડમાં સ્‍કૂલ જવાનું માતા દ્વારા કહેવામાં આવતા કિશોરે ટેરેસ પરથી મોતની છલાંગ લગાવી

vartmanpravah

અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં પણ જય જગન્નાથનો ગુંજેલો નાદ : દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં ભગવાન જગન્નાથની નિકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

અરણાઈ ખાતે આંતરરાષ્‍ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી તથા દેશી બીજ બેન્‍કનું ઉદઘાટન કરાયું

vartmanpravah

વાપી, વલસાડ અને સેલવાસમાં બિલ્‍ડીંગ વ્‍યવસાયમાં અગ્રેસર ગણાતા પ્રમુખ ગ્રુપના ડાયરેક્‍ટર દેવશીભાઈ લક્ષ્મણભાઈ ભાટુનું જૂનાગઢ ખાતે આકસ્‍મિક નિધન

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર: સરપંચ અને સભ્‍યની ક્‍યાંક એક મતે હાર-જીત તો કોઈ સભ્‍ય ઉમેદવારને માત્ર એક મત મળ્‍યો

vartmanpravah

Leave a Comment