July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના નોગામા ગામે બે વર્ષથી અધૂરી પાણી પુરવઠાની યોજનાને ઝડપથી પૂર્ણ કરવા માંગ

તાલુકા પંચાયત સભ્‍ય દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: નોગામા વિસ્‍તારના તાલુકા પંચાયતના સભ્‍ય હીનાબેન અગ્રણી ઉમેશભાઈ ઉપરાંત જિલ્લા ભાજપ કિસાન મોરચાના આઇટી સેલના ઇન્‍ચાર્જ દીપકભાઈ સોલંકી સહિતનાની ઉપસ્‍થિતિમાં મામલતદારને આપેલ આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે ગામના મીઠાકુવા ફળિયામાં બોર અને પાઇપ લાઈનનું કામ થઈ ગયેલ છે. અને ટાંકી, મોટર તેમજ કનેક્‍શનનું કામ બાકી છે. જેને બે વર્ષ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી કામ પૂર્ણ થયેલ નથી. પાણી પુરવઠાના અધિકારીઓને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરેલ નથી.
નોગામા ગામના મીઠાકુવા ફળિયામાં પાણી પુરવઠાની યોજનાના અધૂરા કામથી લોકોને પીવાના પાણી માટે હાલાકી વેઠવાની નોબત આવી છે. આ ફળીયામાં 25-ની આસપાસ ઘરો સાથે અંદાજે 100-જેટલા લોકોની વસ્‍તી છે. અને આ વિસ્‍તારના લોકોએ ગામમાં બીજી ટાંકી છે. ત્‍યાંથી જાતે પાણી લેવાની નોબત આવી છે. અને ફળિયાના છેવાડે આવેલ જૂની ટાંકીમાંથી કયારેક પાણી આવી જાય તો તેનો ઉપયોગ કરતા હોયછે.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં પાણી પુરવઠા દ્વારા ઝડપથી નોગામાં ગામે મીઠાકુવા ફળીયાની પાણીની યોજના પુરી કરી લોકોને પીવાનું પાણી ઉપલબ્‍ધ કરાવવામાં આવે તેવી માંગ સ્‍થાનિકો દ્વારા કરવામાં આવી છે.

સ્‍થાનિક અગ્રણી ઉમેશભાઈના જણાવ્‍યાનુસાર અમારા ગામના મીઠાકુવા ફળીયાની અધૂરી યોજના અંગે બીલીમોરાના નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી હતી. પરંતુ તેમણે હાલે વિજેલન્‍સની તપાસ ચાલુ હોય કઈ થાય તેમ નથી. તેઓ જવાબ આપી રહ્યા છે. ત્‍યારે હાલે અમે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી યોજના પુરી કરી લોકોને પાણી પૂરું પાડવા રજૂઆત કરી છે.

Related posts

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્‍માન કરવામાં આવ્‍યુ

vartmanpravah

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા સુંદરમ્‌ દિવાકરે સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા પાસેથી ક્રિકેટની તાલીમ પૂર્ણ કરી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપરમોપેડ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા પતિ-પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

હવે સુરતના પ્રવાસીઓ માટે દમણ દારૂનગરી નહીં પરંતુ પ્રવાસન અને સહેલગાહનું મથક બન્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લાના પારડીમાં ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઈન હેઠળ તમાકુનું વેચાણ કરતા 9 દુકાનદારો દંડાયા

vartmanpravah

Leave a Comment