June 13, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ બેઠક માટે શિવસેનાએ જારી કર્યો ઘોષણા પત્રઃ 36 મુદ્દાઓને આપેલી પ્રાથમિકતા

  • દાનહ-દમણ-દીવમાં વિધાનસભા ગઠનનું વચનઃ દાનહને બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિમાં દાખલ કરવા આપેલો કોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે યોજાઈ રહેલ પેટા ચૂંટણીમાં આજે શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકર અને તેમની ટીમ દ્વારા લગભગ 36 મુદ્દાને આવરી લેતો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્‍યો હતો. જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિધાનસભાનું ગઠન, ખાનવેલ પંચાયતને સ્‍વતંત્ર જિલ્લા પંચાયતનો દરજ્‍જો અપાવવો, આદિવાસીઓના તમામ હક્ક અધિકારોની પૂર્તિ માટે સંવિધાનની પાંચમી અને છઠ્ઠીઅનુસૂચિમાં દાદરા નગર હવેલીને સામેલ કરવા જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્‍યા છે.
વિશ્વ આદિવાસી દિવસે રજા ઘોષિત કરવા, તારપા ઉત્‍સવ ફરીથી શરૂ કરવા જેવા વચનો પણ આપવામાં આવ્‍યા છે. દાનહમાં આદિવાસીઓના ભગવાન શ્રી બિરસા મુંડાની ભવ્‍ય પ્રતિમાની સ્‍થાપના માટે યોજના બનાવવા પણ ઘોષણા પત્રમાં જગ્‍યા આપવામાં આવી છે.
દાનહ પ્રશાસનના વર્ગ-2 અને એનાથી નીચેના તમામ સરકારી કર્મચારીઓ દાદરા નગર હવેલીમાં જ નોકરી પર કાર્યરત રહે એવી વ્‍યવસ્‍થા કરવા તથા દીવ અને દમણ બદલીનો ડર ખતમ કરવા પણ વચન અપાયું છે.
દાદરા, નરોલી અને સામરવરણી પટેલાદોમાં નગરપાલિકા બનાવવા તથા દાનહની તમામ કેન્‍દ્રીય પટેલાદોમાં મહિલા અને બાળ સુરક્ષા માટે રાષ્‍ટ્રીય સ્‍તરનું માળખું ઉભું કરવાનો નિર્ધાર પણ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે. પત્રકાર પરિષદને શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકર, દાનહ શિવસેના પ્રમુખ શ્રી અભિનવ ડેલકર તેમજ મુંબઈથી આવેલા શિવસેનાના નેતાએ પણ સંબોધી હતી.

Related posts

લોહી પૂરું પાડનાર સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ઈમર્જન્‍સી લોહી આપનારા તથા સૌથી વધુ વખત લોહી આપનારા વ્‍યક્‍તિઓનો માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર દ્વારા સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

આવતીકાલથી વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની જાહેર પરિક્ષા ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે શરૂ થશે

vartmanpravah

વાપી જકાતનાકા બલીઠા પાસેથી એસ.ઓ.જી.એ દેશી બનાવટની પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

vartmanpravah

દાનહમાં આજરોજ એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

વણાકબારા ખાતે મોદી @20 પુસ્‍તકની જાણકારી હેતુ મહારાષ્‍ટ્રના ભાજપાના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ચિત્રા વાઘ ની અધ્‍યક્ષતામાં સેમિનારનુ કરાયેલુ આયોજન

vartmanpravah

નલ સે જલ યોજનાનું કરોડોનું લોકાર્પણ એક બાજુ પાણી માટે વલખાં ચીખલીના ફડવેલ ગામે 15થી વધુ પાણીની ટાંકી વર્ષોથી જર્જરિતઃ પ્રજા માટે આશીર્વાદ ‘રૂપ નલ સે જલ યોજના’નું પાણી નહીં મળતા લોકોને ભરઉનાળે પાણી માટે વલખાં મારવાની નોબત

vartmanpravah

Leave a Comment